બિગ બ્રેકિંગ: ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોનું રેસ્ક્યુ, 17 દિવસની મહેનત બાદ ઓપરેશન સફળ


  • Published By :
  • Published Date : 2023-11-28 21:47:32

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવામાં લાગેલી રેસ્ક્યુ ટીમને આજે 17માં દિવસ બાદ આજે મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સીએમ પુષ્કર સિંહ ધામીએ ટનલમાંથી બહાર આવેલા પહેલા મજૂરના હાલચાલ પૂછ્યા હતા. આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. કાટમાળની આજુબાજુ પાઈપ પુશ કરવાની કામગીરી કરવામાં આવી છે. હવે કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




                                                                                                                                                                                                                                                                                                        

NDRFની ટીમે પાર પાડ્યું મિશન


ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં,  સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ ટુકડીઓએ સુરંગની ઉપરથી રૉટ હોલ માઇનિંગ અને વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. ત્યાર બાદ પાઇપ વડે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 400થી વધુ કલાક સુધી દેશી-વિદેશી મશીનો અને એક્સપર્ટે મુશ્કેલીઓ અને પડકારોને ભરેલા મિશનમાં દરેક વિઘ્નોને પાર કરતા મજૂરોને ધીમે-ધીમે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 800 મિમી વ્યાસની પાઈપ પણ નાખવામાં આવી છે. NDRFની ટીમ પાઈપની મદદથી મજૂરો સુધી પહોંચી ગઈ છે. આ ટીમ મજૂરોને પાઈપની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમણે શ્રમિકોને હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે.                                                                                                                         

41 મજૂરોના સફળ રેસ્ક્યુ પર PMનું ટ્વીટ


ઉત્તરકાશીની ટનલમાંથી 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. ટ્વીટ કરતા મોદીએ કહ્યું કે અમારા શ્રમિક ભાઈઓના રેસ્ક્યુ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા સાથીઓને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપી રહી છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

રાહત અને આનંદની લાગણી: રાષ્ટ્રપતિ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અવસર પર ટ્વીટ કર્યું અને લખ્યું કે ઉત્તરાખંડમાં એક સુરંગમાં ફસાયેલા તમામ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને હું રાહત અને આનંદ અનુભવું છું. બચાવ પ્રયાસમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે કામદારોને 17 દિવસથી વધુ સમય સુધી તકલીફ પડી હતી તે માનવ સહનશક્તિનો પુરાવો છે. હું  રેસ્ક્યુ ટીમો અને તમામ નિષ્ણાતોને અભિનંદન આપું છું જેમણે ઇતિહાસમાં સૌથી મુશ્કેલ બચાવ કામગીરીમાંની એકને પૂર્ણ કરવા માટે અતુલ્ય ધીરજ અને નિશ્ચય સાથે કામ કર્યું છે.

'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજી ઉઠ્યો હતો


સાંજે 7.05 કલાકે, દેશને સારા સમાચાર મળ્યા હતા. આ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ અભિયાનમાં લાગેલી ટીમો રેસ્ક્યુ પાઈપમાં પ્રવેશી ગઈ હતી. બાદમાં બચાવકર્મીઓએ ઝડપથી એક પછી એક તમામ કામદારોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ રીતે 17 દિવસની અથાક મહેનતનો અંત આવ્યો હતો. 41 લોકોના જીવ બચાવવા માટે જાણે સમગ્ર દેશ આ બચાવ અભિયાનમાં જોડાયો હતો. કામદારો બહાર આવતાની સાથે જ સુરંગની બહાર લાગણીઓનું ઘોડાપૂર આવ્યું હતું. રાહ જોઈને ઉભેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજવા લાગ્યા. આ મજૂરોની રાહ જોતી વખતે ખાલી પડેલી દિવાળી સાવ ઓસરી ગઈ હતી. જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. માહોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .