બિગ બ્રેકિંગ: ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોનું રેસ્ક્યુ, 17 દિવસની મહેનત બાદ ઓપરેશન સફળ


  • Published By :
  • Published Date : 2023-11-28 21:47:32

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવામાં લાગેલી રેસ્ક્યુ ટીમને આજે 17માં દિવસ બાદ આજે મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સીએમ પુષ્કર સિંહ ધામીએ ટનલમાંથી બહાર આવેલા પહેલા મજૂરના હાલચાલ પૂછ્યા હતા. આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. કાટમાળની આજુબાજુ પાઈપ પુશ કરવાની કામગીરી કરવામાં આવી છે. હવે કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




                                                                                                                                                                                                                                                                                                        

NDRFની ટીમે પાર પાડ્યું મિશન


ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં,  સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ ટુકડીઓએ સુરંગની ઉપરથી રૉટ હોલ માઇનિંગ અને વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. ત્યાર બાદ પાઇપ વડે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 400થી વધુ કલાક સુધી દેશી-વિદેશી મશીનો અને એક્સપર્ટે મુશ્કેલીઓ અને પડકારોને ભરેલા મિશનમાં દરેક વિઘ્નોને પાર કરતા મજૂરોને ધીમે-ધીમે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 800 મિમી વ્યાસની પાઈપ પણ નાખવામાં આવી છે. NDRFની ટીમ પાઈપની મદદથી મજૂરો સુધી પહોંચી ગઈ છે. આ ટીમ મજૂરોને પાઈપની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમણે શ્રમિકોને હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે.                                                                                                                         

41 મજૂરોના સફળ રેસ્ક્યુ પર PMનું ટ્વીટ


ઉત્તરકાશીની ટનલમાંથી 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. ટ્વીટ કરતા મોદીએ કહ્યું કે અમારા શ્રમિક ભાઈઓના રેસ્ક્યુ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા સાથીઓને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપી રહી છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

રાહત અને આનંદની લાગણી: રાષ્ટ્રપતિ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અવસર પર ટ્વીટ કર્યું અને લખ્યું કે ઉત્તરાખંડમાં એક સુરંગમાં ફસાયેલા તમામ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને હું રાહત અને આનંદ અનુભવું છું. બચાવ પ્રયાસમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે કામદારોને 17 દિવસથી વધુ સમય સુધી તકલીફ પડી હતી તે માનવ સહનશક્તિનો પુરાવો છે. હું  રેસ્ક્યુ ટીમો અને તમામ નિષ્ણાતોને અભિનંદન આપું છું જેમણે ઇતિહાસમાં સૌથી મુશ્કેલ બચાવ કામગીરીમાંની એકને પૂર્ણ કરવા માટે અતુલ્ય ધીરજ અને નિશ્ચય સાથે કામ કર્યું છે.

'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજી ઉઠ્યો હતો


સાંજે 7.05 કલાકે, દેશને સારા સમાચાર મળ્યા હતા. આ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ અભિયાનમાં લાગેલી ટીમો રેસ્ક્યુ પાઈપમાં પ્રવેશી ગઈ હતી. બાદમાં બચાવકર્મીઓએ ઝડપથી એક પછી એક તમામ કામદારોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ રીતે 17 દિવસની અથાક મહેનતનો અંત આવ્યો હતો. 41 લોકોના જીવ બચાવવા માટે જાણે સમગ્ર દેશ આ બચાવ અભિયાનમાં જોડાયો હતો. કામદારો બહાર આવતાની સાથે જ સુરંગની બહાર લાગણીઓનું ઘોડાપૂર આવ્યું હતું. રાહ જોઈને ઉભેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજવા લાગ્યા. આ મજૂરોની રાહ જોતી વખતે ખાલી પડેલી દિવાળી સાવ ઓસરી ગઈ હતી. જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. માહોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.


રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.