Big Breaking - શિક્ષકોની ભરતીને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય, આટલી જગ્યાઓ પર કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2024-06-19 16:59:06

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા આંદોલન કરવા માટે.. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરાશે .. ટાટ 1-2માં ભરતી કરવામાં આવશે. ત્રણ માસની અંદર ભરતી પ્રકિયા શરૂ થશે. 7500 જગ્યાઓ પર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.    

મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવાર!

આપણે કહીએ છીએ કે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ.. જો આપણે પોતાના હક માટે અવાજ નથી ઉઠાવતા તો આપણને આપણો હક નથી મળતો. પોતાની માગ સાથે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ગઈકાલથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમના માગ હતી. આજે સચિવાલય પહોંચ્યા હતા ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા. પરંતુ આજે પણ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. તે બાદ સમાચાર સામે આવ્યા કે  મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 


ત્રણ મહિનાની અંદર થશે પ્રક્રિયા શરૂ...

શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં  હાજર હતા. તેવી પણ માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ આશા હતી કે કોઈ સારા સમાચાર સામે આવી શકે છે... અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ટાટ 1-2માં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ત્રણ મહિનાની અંદર આ પ્રક્રિયા શરૂ કરાશે..  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.