Big Breaking - શિક્ષકોની ભરતીને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય, આટલી જગ્યાઓ પર કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2024-06-19 16:59:06

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા આંદોલન કરવા માટે.. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરાશે .. ટાટ 1-2માં ભરતી કરવામાં આવશે. ત્રણ માસની અંદર ભરતી પ્રકિયા શરૂ થશે. 7500 જગ્યાઓ પર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.    

મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવાર!

આપણે કહીએ છીએ કે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ.. જો આપણે પોતાના હક માટે અવાજ નથી ઉઠાવતા તો આપણને આપણો હક નથી મળતો. પોતાની માગ સાથે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ગઈકાલથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમના માગ હતી. આજે સચિવાલય પહોંચ્યા હતા ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા. પરંતુ આજે પણ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. તે બાદ સમાચાર સામે આવ્યા કે  મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 


ત્રણ મહિનાની અંદર થશે પ્રક્રિયા શરૂ...

શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં  હાજર હતા. તેવી પણ માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ આશા હતી કે કોઈ સારા સમાચાર સામે આવી શકે છે... અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ટાટ 1-2માં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ત્રણ મહિનાની અંદર આ પ્રક્રિયા શરૂ કરાશે..  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .