બેચરાજી વિસ્તારના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-10-22 14:40:37

મહેસાણા જીલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ બહુચરાજી ગુજરાતના ચાર શક્તિપીઠ સ્થાન પામે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ આ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે આજે મોટો નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરીટી દ્વારા સાત ગામોને આવરી લઈ અંદાજે 825 હેક્ટર વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આ ગામોને લાઈટ -બાગ-બગીચા તેમજ ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાનો લાભ મળશે. બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન પૂરૂ પાડવાની સરકારની યોજના છે.


આ ગામોનો થશે સમાવેશ


સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દુર્ગાષ્ટમીના પાવન પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી તેમજ તેની આસપાસના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા ગામો સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને વેગ આપવાના હેતુથી બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાને વાસ્તવિક રૂપ આપવા બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સત્તા મંડળ હેઠળ બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ બહુચરાજી ઉપરાંત શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને 30 જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે. નવા મૂડીરોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો ઉભી કરી શકાશે.


ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિમણૂક


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ  બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિમણૂક કરી છે. આ સત્તામંડળના અન્ય સભ્યો તરીકે ચીફ ટાઉન પ્લાનર, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર અને સભ્ય સચિવ તરીકે મહેસાણા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારના વિકાસને લગતી બાબતોને યોગ્ય વાચા આપવા સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ચાર સભ્યોને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે સ્થાન આપવાની જોગવાઇ કરવામાં આવેલી છે.



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.