ભારતની મોટી રાજદ્વારી જીત, કતારમાં સજા ભોગવી રહેલા 8 ભારતીય ભૂતપૂર્વ નૌસેના અધિકારી પરત ફર્યા, તેઓએ આવતાની સાથે જ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:36:33

કતારની જેલમાં બંધ 8 ભારતીય નૌસેનાથી જોડાયેલા પૂર્વ અધિકારીઓ આજે ભારત પરત ફર્યા છે. કતારે 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ નૌસેનિકોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ભૂતપૂર્વ નૌસેનિકોને કતારે મુક્ત કર્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. કતારે તેમને પહેલા તેમને મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના અનુરોધ પર તેમની સજાને ઉંમર કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારે હવે કતારમાં ફસાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીઓને ભારત પરત મોકલી દેવાયા છે. 

કતારમાં કોણ કોણ ફસાયું હતું?

જે 8 ભારતીયોને કતારે સજા ફટકારી હતી તે છે - કમાંડર પૂર્ણેદુ તિવારી, કમાંડર સુગુણાકર પકાલા, કમાંડર અમિત નાગપાલ,કમાંડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વષિષ્ઠ અને રાગેશ ગોપાકુમાર.  ભારત પરત ફરેલા અધિકારીઓ વિશે વાત કરીએ તો આઠ ભારતીય ખાનગી કંપની દહેરા વૈશ્વિક ટેક્નોલૉજીસ એન્ડ કંસાલ્ટેંસી સર્વિસીસ માટે કામ કરે છે. ભારતીય નાગરિકો છેલ્લા કેટલાક વર્ષોથી કતરના નવસૈનિકોને તાલીમ આપી રહ્યા છે. 


ક્યારે બની હતી ઘટના? 

કંપનીની માલિકી રોયલ ઓમાન વાયુ સેના કે સેવાનિવાર સ્ક્વાડ્રન લીડર ખામીસ અલ-અજમી પાસે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વિરૂદ્ધ 25 માર્ચના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો. કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્ટે ગયા વર્ષે તેમના વિરૂદ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ભારતની ભલામણ બાદ આઠેય અધિકારીઓની મોતની સજાને હટાવી દેવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા પીએમ મોદી અને કતારના અમીશ શેખ તમીન બિન હમાદ થલ થાની વચ્ચે મુલાકાત થઈ ગઈ અને તે વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હશે અને તે બાદ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


કતારથી પરત આવેલા નૌસેનાના પૂર્વ અધિકારીઓએ શું કહ્યું? 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારત પરત ફર્યા બાદ નૌસેનાના પૂર્વ અધિકારીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કતારથી ભારત પરત ફરેલા ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.