ભારતની મોટી રાજદ્વારી જીત, કતારમાં સજા ભોગવી રહેલા 8 ભારતીય ભૂતપૂર્વ નૌસેના અધિકારી પરત ફર્યા, તેઓએ આવતાની સાથે જ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:36:33

કતારની જેલમાં બંધ 8 ભારતીય નૌસેનાથી જોડાયેલા પૂર્વ અધિકારીઓ આજે ભારત પરત ફર્યા છે. કતારે 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ નૌસેનિકોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ભૂતપૂર્વ નૌસેનિકોને કતારે મુક્ત કર્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. કતારે તેમને પહેલા તેમને મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના અનુરોધ પર તેમની સજાને ઉંમર કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારે હવે કતારમાં ફસાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીઓને ભારત પરત મોકલી દેવાયા છે. 

કતારમાં કોણ કોણ ફસાયું હતું?

જે 8 ભારતીયોને કતારે સજા ફટકારી હતી તે છે - કમાંડર પૂર્ણેદુ તિવારી, કમાંડર સુગુણાકર પકાલા, કમાંડર અમિત નાગપાલ,કમાંડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વષિષ્ઠ અને રાગેશ ગોપાકુમાર.  ભારત પરત ફરેલા અધિકારીઓ વિશે વાત કરીએ તો આઠ ભારતીય ખાનગી કંપની દહેરા વૈશ્વિક ટેક્નોલૉજીસ એન્ડ કંસાલ્ટેંસી સર્વિસીસ માટે કામ કરે છે. ભારતીય નાગરિકો છેલ્લા કેટલાક વર્ષોથી કતરના નવસૈનિકોને તાલીમ આપી રહ્યા છે. 


ક્યારે બની હતી ઘટના? 

કંપનીની માલિકી રોયલ ઓમાન વાયુ સેના કે સેવાનિવાર સ્ક્વાડ્રન લીડર ખામીસ અલ-અજમી પાસે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વિરૂદ્ધ 25 માર્ચના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો. કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્ટે ગયા વર્ષે તેમના વિરૂદ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ભારતની ભલામણ બાદ આઠેય અધિકારીઓની મોતની સજાને હટાવી દેવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા પીએમ મોદી અને કતારના અમીશ શેખ તમીન બિન હમાદ થલ થાની વચ્ચે મુલાકાત થઈ ગઈ અને તે વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હશે અને તે બાદ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


કતારથી પરત આવેલા નૌસેનાના પૂર્વ અધિકારીઓએ શું કહ્યું? 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારત પરત ફર્યા બાદ નૌસેનાના પૂર્વ અધિકારીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કતારથી ભારત પરત ફરેલા ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.