ભારતની મોટી રાજદ્વારી જીત, કતારમાં સજા ભોગવી રહેલા 8 ભારતીય ભૂતપૂર્વ નૌસેના અધિકારી પરત ફર્યા, તેઓએ આવતાની સાથે જ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:36:33

કતારની જેલમાં બંધ 8 ભારતીય નૌસેનાથી જોડાયેલા પૂર્વ અધિકારીઓ આજે ભારત પરત ફર્યા છે. કતારે 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ નૌસેનિકોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ભૂતપૂર્વ નૌસેનિકોને કતારે મુક્ત કર્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. કતારે તેમને પહેલા તેમને મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના અનુરોધ પર તેમની સજાને ઉંમર કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારે હવે કતારમાં ફસાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીઓને ભારત પરત મોકલી દેવાયા છે. 

કતારમાં કોણ કોણ ફસાયું હતું?

જે 8 ભારતીયોને કતારે સજા ફટકારી હતી તે છે - કમાંડર પૂર્ણેદુ તિવારી, કમાંડર સુગુણાકર પકાલા, કમાંડર અમિત નાગપાલ,કમાંડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વષિષ્ઠ અને રાગેશ ગોપાકુમાર.  ભારત પરત ફરેલા અધિકારીઓ વિશે વાત કરીએ તો આઠ ભારતીય ખાનગી કંપની દહેરા વૈશ્વિક ટેક્નોલૉજીસ એન્ડ કંસાલ્ટેંસી સર્વિસીસ માટે કામ કરે છે. ભારતીય નાગરિકો છેલ્લા કેટલાક વર્ષોથી કતરના નવસૈનિકોને તાલીમ આપી રહ્યા છે. 


ક્યારે બની હતી ઘટના? 

કંપનીની માલિકી રોયલ ઓમાન વાયુ સેના કે સેવાનિવાર સ્ક્વાડ્રન લીડર ખામીસ અલ-અજમી પાસે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વિરૂદ્ધ 25 માર્ચના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો. કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્ટે ગયા વર્ષે તેમના વિરૂદ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ભારતની ભલામણ બાદ આઠેય અધિકારીઓની મોતની સજાને હટાવી દેવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા પીએમ મોદી અને કતારના અમીશ શેખ તમીન બિન હમાદ થલ થાની વચ્ચે મુલાકાત થઈ ગઈ અને તે વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હશે અને તે બાદ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


કતારથી પરત આવેલા નૌસેનાના પૂર્વ અધિકારીઓએ શું કહ્યું? 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારત પરત ફર્યા બાદ નૌસેનાના પૂર્વ અધિકારીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કતારથી ભારત પરત ફરેલા ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.