ભારતની મોટી રાજદ્વારી જીત, કતારમાં સજા ભોગવી રહેલા 8 ભારતીય ભૂતપૂર્વ નૌસેના અધિકારી પરત ફર્યા, તેઓએ આવતાની સાથે જ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:36:33

કતારની જેલમાં બંધ 8 ભારતીય નૌસેનાથી જોડાયેલા પૂર્વ અધિકારીઓ આજે ભારત પરત ફર્યા છે. કતારે 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ નૌસેનિકોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ભૂતપૂર્વ નૌસેનિકોને કતારે મુક્ત કર્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. કતારે તેમને પહેલા તેમને મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના અનુરોધ પર તેમની સજાને ઉંમર કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારે હવે કતારમાં ફસાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીઓને ભારત પરત મોકલી દેવાયા છે. 

કતારમાં કોણ કોણ ફસાયું હતું?

જે 8 ભારતીયોને કતારે સજા ફટકારી હતી તે છે - કમાંડર પૂર્ણેદુ તિવારી, કમાંડર સુગુણાકર પકાલા, કમાંડર અમિત નાગપાલ,કમાંડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વષિષ્ઠ અને રાગેશ ગોપાકુમાર.  ભારત પરત ફરેલા અધિકારીઓ વિશે વાત કરીએ તો આઠ ભારતીય ખાનગી કંપની દહેરા વૈશ્વિક ટેક્નોલૉજીસ એન્ડ કંસાલ્ટેંસી સર્વિસીસ માટે કામ કરે છે. ભારતીય નાગરિકો છેલ્લા કેટલાક વર્ષોથી કતરના નવસૈનિકોને તાલીમ આપી રહ્યા છે. 


ક્યારે બની હતી ઘટના? 

કંપનીની માલિકી રોયલ ઓમાન વાયુ સેના કે સેવાનિવાર સ્ક્વાડ્રન લીડર ખામીસ અલ-અજમી પાસે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વિરૂદ્ધ 25 માર્ચના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો. કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્ટે ગયા વર્ષે તેમના વિરૂદ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ભારતની ભલામણ બાદ આઠેય અધિકારીઓની મોતની સજાને હટાવી દેવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા પીએમ મોદી અને કતારના અમીશ શેખ તમીન બિન હમાદ થલ થાની વચ્ચે મુલાકાત થઈ ગઈ અને તે વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હશે અને તે બાદ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


કતારથી પરત આવેલા નૌસેનાના પૂર્વ અધિકારીઓએ શું કહ્યું? 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારત પરત ફર્યા બાદ નૌસેનાના પૂર્વ અધિકારીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કતારથી ભારત પરત ફરેલા ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.