વર્લ્ડકપ ફાઈનલમાં મોટી ચૂક, પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-19 19:54:17

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રશંસક જે પેલેસ્ટાઈનનો સમર્થક હતો તે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેને (વિરાટ)ને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રથમ ડ્રિંક્સ બ્રેક પહેલા બની હતી. સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો. તેનું નામ વેઈન જોન્સન છે અને તે ચાઈનીઝ-ફિલિપિન્સ મૂળનો ઓસ્ટ્રેલિયન છે. તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


ટી- શર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં લખ્યા સુત્રો


ક્રિકેટ મેચમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે પરંતુ જોન્સન વિદેશી નાગરિક હોવાથી તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણી શકાયું નથી. જ્હોન્સને તેના ચહેરા પર પેલેસ્ટાઈન ધ્વજની ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું અને ટી-શર્ટની બંને બાજુએ તેના સમર્થનમાં સૂત્રો લખેલા હતા. ટી-શર્ટના આગળના ભાગમાં ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ અને પાછળ ‘સેવ પેલેસ્ટાઈન’ લખેલું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેની ઈવેન્ટ દરમિયાન કોઈપણ રાજકીય સૂત્રોચ્ચારને મંજૂરી આપતું નથી અને ભારતમાં પણ તેને મંજૂરી નથી.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું?




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.