વર્લ્ડકપ ફાઈનલમાં મોટી ચૂક, પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-19 19:54:17

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રશંસક જે પેલેસ્ટાઈનનો સમર્થક હતો તે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેને (વિરાટ)ને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રથમ ડ્રિંક્સ બ્રેક પહેલા બની હતી. સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો. તેનું નામ વેઈન જોન્સન છે અને તે ચાઈનીઝ-ફિલિપિન્સ મૂળનો ઓસ્ટ્રેલિયન છે. તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


ટી- શર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં લખ્યા સુત્રો


ક્રિકેટ મેચમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે પરંતુ જોન્સન વિદેશી નાગરિક હોવાથી તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણી શકાયું નથી. જ્હોન્સને તેના ચહેરા પર પેલેસ્ટાઈન ધ્વજની ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું અને ટી-શર્ટની બંને બાજુએ તેના સમર્થનમાં સૂત્રો લખેલા હતા. ટી-શર્ટના આગળના ભાગમાં ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ અને પાછળ ‘સેવ પેલેસ્ટાઈન’ લખેલું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેની ઈવેન્ટ દરમિયાન કોઈપણ રાજકીય સૂત્રોચ્ચારને મંજૂરી આપતું નથી અને ભારતમાં પણ તેને મંજૂરી નથી.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું?




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.