વર્લ્ડકપ ફાઈનલમાં મોટી ચૂક, પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-19 19:54:17

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રશંસક જે પેલેસ્ટાઈનનો સમર્થક હતો તે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેને (વિરાટ)ને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રથમ ડ્રિંક્સ બ્રેક પહેલા બની હતી. સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો. તેનું નામ વેઈન જોન્સન છે અને તે ચાઈનીઝ-ફિલિપિન્સ મૂળનો ઓસ્ટ્રેલિયન છે. તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


ટી- શર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં લખ્યા સુત્રો


ક્રિકેટ મેચમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે પરંતુ જોન્સન વિદેશી નાગરિક હોવાથી તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણી શકાયું નથી. જ્હોન્સને તેના ચહેરા પર પેલેસ્ટાઈન ધ્વજની ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું અને ટી-શર્ટની બંને બાજુએ તેના સમર્થનમાં સૂત્રો લખેલા હતા. ટી-શર્ટના આગળના ભાગમાં ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ અને પાછળ ‘સેવ પેલેસ્ટાઈન’ લખેલું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેની ઈવેન્ટ દરમિયાન કોઈપણ રાજકીય સૂત્રોચ્ચારને મંજૂરી આપતું નથી અને ભારતમાં પણ તેને મંજૂરી નથી.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું?




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.