વર્લ્ડકપ ફાઈનલમાં મોટી ચૂક, પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-19 19:54:17

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રશંસક જે પેલેસ્ટાઈનનો સમર્થક હતો તે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેને (વિરાટ)ને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રથમ ડ્રિંક્સ બ્રેક પહેલા બની હતી. સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો. તેનું નામ વેઈન જોન્સન છે અને તે ચાઈનીઝ-ફિલિપિન્સ મૂળનો ઓસ્ટ્રેલિયન છે. તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


ટી- શર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં લખ્યા સુત્રો


ક્રિકેટ મેચમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે પરંતુ જોન્સન વિદેશી નાગરિક હોવાથી તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણી શકાયું નથી. જ્હોન્સને તેના ચહેરા પર પેલેસ્ટાઈન ધ્વજની ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું અને ટી-શર્ટની બંને બાજુએ તેના સમર્થનમાં સૂત્રો લખેલા હતા. ટી-શર્ટના આગળના ભાગમાં ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ અને પાછળ ‘સેવ પેલેસ્ટાઈન’ લખેલું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેની ઈવેન્ટ દરમિયાન કોઈપણ રાજકીય સૂત્રોચ્ચારને મંજૂરી આપતું નથી અને ભારતમાં પણ તેને મંજૂરી નથી.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું?




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી