મોટા સમાચાર: ચૂંટણી પહેલા રાજ્યના 27 PIની બદલીઓ,જુઓ કોની કઈ જગ્યાએ બદલી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:08:13

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. એ માટે ખુદ રાજ્ય પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે.
જુઓ કોની કઈ જગ્યાએ બદલી કરાઈ 

ગૃહવિભાગે તાજેતરમાં જ રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. આ અગાઉ બિન હથિયારી 76 DySPની બદલી કરાઇ હતી.અને અન્ય અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી હતી..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે