Paytm પર RBIની મોટી કાર્યવાહી... 29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સેવાઓ નહીં આપી શકે, ગ્રાહકોનું શું થશે?


  • Published By :
  • Published Date : 2024-01-31 20:44:19

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી જાયન્ટ કંપની Paytmને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBLમાં જોડાઈ શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે આ આદેશ જારી કર્યો છે.


ડિપોઝીટ-ટોપઅપ સ્વીકારવામાં આવશે નહીં


પેટીએમ પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણો લાદવા ઉપરાંત, RBIએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહકના ખાતા, વોલેટ અને FASTagમાં ડિપોઝીટ/ટોપ-અપ સ્વિકારી શકશે નહીં. બેંક ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. એટલે કે, RBI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને FASTagમાં પહેલાથી જ જમા કરાયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.


RBIએ પેટીએમ પર શા માટે કાર્યવાહી કરી?


પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે કહેવામાં આવ્યું છે કે ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સ દ્વારા ચકાસવામાં આવેલ રિપોર્ટ બાદ પેટીએમની બેંકિંગ સર્વિસમાં બિન-અનુપાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ સામે આવી છે. આ બધાની વચ્ચે, આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આદેશ હેઠળ, નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધની સાથે, વર્તમાન ગ્રાહકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન પર પણ 29 ફેબ્રુઆરી 2024થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.