Biharમાં મુખ્યમંત્રી Nitish Kumar ગમે ત્યારે આપી શકે છે રાજીનામું! RJD નેતાએ આપી નીતિશ કુમારને ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:27:59

ગઈકાલથી બિહારમાં ચાલી રહેલું રાજકારણ ચર્ચામાં છે. ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત નિતીશ કુમાર શપથ લઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર નિતીશ કુમાર કોંગ્રેસ તેમજ આરજેડીથી નારાજ છે. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનમાંથી પણ તે છેડો ફાડી એનડીએમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે પણ તે શપથ લઈ શકે છે તેવી વાતો સામે આવી છે. 

બિહારના ઉપમુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા!

નીતિશ કુમારે અનેક વખત પક્ષપલટો કર્યો છે. કોઈ વખત એનડીએમાં હોય છે તો કોઈ વખત આરજેડી, કોંગ્રેસ વાળા ખેમામાં હોય છે. ગઈકાલથી સમાચાર સામે આવ્યા છે કે ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જઈ શકે છે તે વાતથી રાજકારણ ગરમાયું છે. એનડીએમાં ગમે ત્યારે નીતિશ કુમાર જોડાઈ શકે છે તેવી વાતો પર આરજેડી નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે. મીડિય રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું છે કે આસાનીથી તે સરકારને નહીં પડવા દે. અમે બીજી વખત સરકાર પણ નહીં બનવા દઈએ.    


 

લાલુ પ્રસાદ યાદવે અનેક વખત નીતિશ કુમારને ફોન કર્યા પરંતુ...

એવી માહિતી પણ સામે આવી છે કે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે આ સમાચાર મળતા નીતિશ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર સાથે વાત કરવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો. એવી  માહિતી સામે આવી રહી છે રાષ્ટ્રીય જનતા દળે મીટિંગ બોલાવી છે. તેજસ્વી યાદવે સરકારી આવાસ પર પાર્ટી વિધાયકોની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે નીતિશ કુમાર આગળ શું કરે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.