Biharના CM Nitish Kumarએ કોની સામે જોડ્યા હાથ કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-14 13:34:04

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનો અને હરકતોથી ચર્ચામાં છે. વિધાનસભામાં મહિલાઓને લઈને વાંધાજનક નિવેદન આપ્યા બાદ તેણે મીડિયાથી દૂરી લીધી છે. નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને પૂછ્યું કે સાહેબ કેમ ગુસ્સે છે, તો મુખ્યમંત્રીએ હાથ જોડ્યા અને રીતસર આરતી કરતા હોય તેવું કરવા લાગ્યા!


પત્રકારની સામે મુખ્યમંત્રી નીતિશ કુમારે હાથ જોડ્યા!

આ અંગે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમમાં ભાગ લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે કેટલાક પત્રકારોએ પૂછ્યું કે સાહેબ તમે કેમ ગુસ્સે છો? નીતીશ કુમારે આના પર કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેમણે ઝૂકીને પત્રકારોને હાથ જોડી લીધા. આટલું જ નહીં, આ દરમિયાન જ્યારે તેમના સુરક્ષાકર્મીઓ કેમેરાની સામે આવ્યા, ત્યારે નીતિશ કુમાર પોતાની બાજુ એક તરફ ખસેડીને અને પત્રકારો સમક્ષ નમીને પ્રતીકાત્મક રીતે હાથ જોડતા જોવા મળ્યા. આ પછી નીતિશ કુમાર કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વગર પોતાની કારમાં ત્યાંથી નીકળી ગયા હતા.


આરતી સમયનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

હવે આવી સ્થિતિમાં ત્યાં હાજર લોકો વિચારવા લાગ્યા કે એવી કઈ સ્થિતિ આવી ગઈ કે નીતિશ કુમારને મીડિયા સામે હાથ જોડવા પડ્યા. આ પહેલા સીએમ નીતીશ કુમારનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મહાવીર મંદિરમાં આરતી દરમિયાન અહીં-ત્યાં જોતા જોવા મળે છે. વીડિયોમાં લાગે છે કે તે કંઈક શોધી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે