Biharના CM Nitish Kumarએ કોની સામે જોડ્યા હાથ કે તેમનો વીડિયો થઈ ગયો વાયરલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-14 13:34:04

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનો અને હરકતોથી ચર્ચામાં છે. વિધાનસભામાં મહિલાઓને લઈને વાંધાજનક નિવેદન આપ્યા બાદ તેણે મીડિયાથી દૂરી લીધી છે. નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પત્રકારોએ નીતિશ કુમારને પૂછ્યું કે સાહેબ કેમ ગુસ્સે છે, તો મુખ્યમંત્રીએ હાથ જોડ્યા અને રીતસર આરતી કરતા હોય તેવું કરવા લાગ્યા!


પત્રકારની સામે મુખ્યમંત્રી નીતિશ કુમારે હાથ જોડ્યા!

આ અંગે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમમાં ભાગ લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે કેટલાક પત્રકારોએ પૂછ્યું કે સાહેબ તમે કેમ ગુસ્સે છો? નીતીશ કુમારે આના પર કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેમણે ઝૂકીને પત્રકારોને હાથ જોડી લીધા. આટલું જ નહીં, આ દરમિયાન જ્યારે તેમના સુરક્ષાકર્મીઓ કેમેરાની સામે આવ્યા, ત્યારે નીતિશ કુમાર પોતાની બાજુ એક તરફ ખસેડીને અને પત્રકારો સમક્ષ નમીને પ્રતીકાત્મક રીતે હાથ જોડતા જોવા મળ્યા. આ પછી નીતિશ કુમાર કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વગર પોતાની કારમાં ત્યાંથી નીકળી ગયા હતા.


આરતી સમયનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

હવે આવી સ્થિતિમાં ત્યાં હાજર લોકો વિચારવા લાગ્યા કે એવી કઈ સ્થિતિ આવી ગઈ કે નીતિશ કુમારને મીડિયા સામે હાથ જોડવા પડ્યા. આ પહેલા સીએમ નીતીશ કુમારનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મહાવીર મંદિરમાં આરતી દરમિયાન અહીં-ત્યાં જોતા જોવા મળે છે. વીડિયોમાં લાગે છે કે તે કંઈક શોધી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.