લોકસભા ચૂંટણી પહેલા Bihar CM Nitish Kumar રાજ્યપાલને અચાનક મળવા પહોંચ્યા, રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-23 13:29:59

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે. આ બધા વચ્ચે રાજકારણ ગરમાયું છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી અચાનક રાજભવન રાજ્યપાલ રાજેન્દ્ર અરણેંકરને મળવા પહોંચ્યા હતા. નીતિશ કુમારની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. ચૂંટણી પહેલા આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયું છે.  


રાજ્યપાલ સાથે 40 મીનિટ સુધી કરી ચર્ચા 

બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત 40 મીનિટ સુધી ચાલી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. એક તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે. 


આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી છે. બજેટ સત્ર વિશે ચર્ચા થઈ ઉપરાંત બીજા અનેક વિષયો પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે.  




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.