લોકસભા ચૂંટણી પહેલા Bihar CM Nitish Kumar રાજ્યપાલને અચાનક મળવા પહોંચ્યા, રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-23 13:29:59

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે. આ બધા વચ્ચે રાજકારણ ગરમાયું છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી અચાનક રાજભવન રાજ્યપાલ રાજેન્દ્ર અરણેંકરને મળવા પહોંચ્યા હતા. નીતિશ કુમારની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. ચૂંટણી પહેલા આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયું છે.  


રાજ્યપાલ સાથે 40 મીનિટ સુધી કરી ચર્ચા 

બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત 40 મીનિટ સુધી ચાલી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. એક તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે. 


આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી છે. બજેટ સત્ર વિશે ચર્ચા થઈ ઉપરાંત બીજા અનેક વિષયો પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.