બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-28 18:03:29

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને ગુજરાતીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવું ભારે પડી રહ્યું છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યુ કર્યુ છે. તેજસ્વી યાદવની સામે સમન્સ ઈશ્યુ થતા તેમની મુશ્કેલી વધી શકે છે.  મેટ્રોપોલિટન કોર્ટે નોંધ્યુ છે કે બદનક્ષી કેસમાં તેજસ્વી સામે પ્રાથમિક રીતે ગુનો બને છે. તેજસ્વી યાદવે આગામી 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 


આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે 


આ મામલે અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં  માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા છે. અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી કરી હતી. હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. 


શું છે સમગ્ર મામલો?


બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા બિહાર વિધાનસભાની બહાર મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા હિરા કારોબારી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યુ હતુ.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.