Bihar : પુલ નીચે ફસાયું પ્લેન! Planeને બહાર કાઢવા માટે અપનાવ્યો આવો જુગાડ!, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-12-30 16:23:39

ગાડીઓ, બાઈક જેવા વાહનો રસ્તા પર ચાલે, ટ્રેન પાટા પર ચાલે, બોટ પાણી પર ચાલે અને પ્લેન આકાશમાં ઉડે. આ વાક્ય વાંચીને એવું કહેશો કે આમાંથી શું નવાઈ. આમાં શું નવું છે. પ્લેનને ટેકઓફ કરતા જ આપણે રસ્તા પર જોયા હશે પરંતુ તમે ક્યારે રસ્તા પર પ્લેનને અટકવાયેલું, ફસાઈ ગયેલું જોયું? જવાબ હશે ના.. પરંતુ બિહારમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં બ્રિજ નીચે પ્લેન ફસાઈ ગયું હતું, પ્લેનને બહાર કાઢવા માટે અનેક રસ્તાઓ અપનાવવામાં આવ્યા.  

મુંબઈથી આસામ લઈ જવાઈ રહ્યું હતું પ્લેનનું બોડી

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને લઈ લોકોમાં આશ્ચર્ય થાય છે કે આવું તો કેવી રીતે બને? એવા જ એક સમાચારની વાત કરવી જે જેમાં પ્લેન બ્રિજ નીચે ફસાઈ ગયું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તમે વિચારતા હશો કે બ્રિજ નીચે પ્લેન કેવી રીતે ફસાઈ જાય? પરંતુ પ્લેન બ્રિજ નીચે ફસાયું છે કારણ કે પ્લેનની બોડીને ટ્રકમાં મૂકી એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવામાં આવી રહ્યું હતું. પ્લેનને મુંબઈથી આસામ વાયા બિહાર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું અને અમારા માટે તે સમાચાર બની જાય છે!


આ રીતે કાઢવામાં આવ્યું બ્રિજ નીચેથી પ્લેન!

મુંબઈથી આસામ. વાયા બિહાર. ટ્રક મોતિહારીમાં NH-28 પરના ઓવરબ્રિજની નીચે પહોંચતા જ ફસાઈ ગઈ હતી. પ્લેનને બ્રિજ નીચે ફસાયેલું જોવા માટે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા. અનેક લોકો  પ્લેન સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો આને કારણે. ત્યારે મહામહેનત બાદ, ભારે જહેમત પછી વિમાનને બહાર કાઢવામાં આવ્યું હતું. બ્રિજની નીચેથી પ્લેનને બહાર કાઢવા અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રકને બહાર કાઢવા માટે ટ્રકના ટાયરોની હવા કાઢવામાં આવી અને તે બાદ બ્રિજ નીચેથી પ્લેન નિકળ્યું. ટ્રક નીકળી તે બાદ ટ્રાફિક જામ હળવો થયો. નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર શરૂ થઈ શકી.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.