Bihar Politics:નવી સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બનશે ડેપ્યુટી CM!,આજે સાંજે થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2024-01-28 13:14:46

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે જ રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામું આપતા પહેલા નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમારનું આ પગલું એ ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ હતા.


નીતિશ કુમારે શું કહ્યું?

 

નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ  મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે "હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે વધુમાં કહ્યું, આજે અમે અમારું રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે. આગળ શું થાય છે તે જોઈશું.'


RJDના ગંભીર આરોપ 


RJD નેતા એજાઝ અહેમદે નીતીશ પર પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો. એજાઝ અહેમદે કહ્યું, 'અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ગુંડાઓ અને લાલચુ લોકોનું જોડાણ તૈયાર થઈ રહ્યું છે.


જેડીયુ નેતા કેસી ત્યાગીએ આપ્યો કોંગ્રેસને જવાબ 


જેડીયુ નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ' ખડગેજીની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે નીતિશ કુમાર પર તકવાદનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું એક કોકસ ઈન્ડિયા ગઠબંધન પર કબજો કરવા માંગે છે. દિલ્હીની બેઠકમાં ખડગેનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું પરંતુ મુંબઈની બેઠકમાં કોઈનું નામ આગળ નહીં મૂકવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. તમામ બિનકોંગ્રેસી પક્ષોએ કોંગ્રેસ સાથે લડીને ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે... તેઓ ભારતીય જનતા પાર્ટીની તાકાતને ઓછી આંકી રહ્યા છે. આપણે વાસ્તવિકતા જાણીએ છીએ. પીએમ મોદીની લોકપ્રિયતા વિશે આપણે જાણીએ છીએ. અમને અફસોસ પણ છે અને રાહત પણ અનુભવીએ છીએ કે આ ઈન્ડિયા ગઠબંધનના જે મુખ્ય સુત્રધાર હતા તે  તમાથી બહાર આવી ગયા છે.


અભિનંદન આપતા પોસ્ટરો લાગ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)એ રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ (BJP) સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં પીએમ મોદી સાથે નીતીશની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે- નીતિશ દરેકના છે, દરેકને ગર્વ છે- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.