Bihar Politics:નવી સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બનશે ડેપ્યુટી CM!,આજે સાંજે થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2024-01-28 13:14:46

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે જ રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામું આપતા પહેલા નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમારનું આ પગલું એ ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ હતા.


નીતિશ કુમારે શું કહ્યું?

 

નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ  મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે "હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે વધુમાં કહ્યું, આજે અમે અમારું રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે. આગળ શું થાય છે તે જોઈશું.'


RJDના ગંભીર આરોપ 


RJD નેતા એજાઝ અહેમદે નીતીશ પર પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો. એજાઝ અહેમદે કહ્યું, 'અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ગુંડાઓ અને લાલચુ લોકોનું જોડાણ તૈયાર થઈ રહ્યું છે.


જેડીયુ નેતા કેસી ત્યાગીએ આપ્યો કોંગ્રેસને જવાબ 


જેડીયુ નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ' ખડગેજીની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે નીતિશ કુમાર પર તકવાદનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું એક કોકસ ઈન્ડિયા ગઠબંધન પર કબજો કરવા માંગે છે. દિલ્હીની બેઠકમાં ખડગેનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું પરંતુ મુંબઈની બેઠકમાં કોઈનું નામ આગળ નહીં મૂકવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. તમામ બિનકોંગ્રેસી પક્ષોએ કોંગ્રેસ સાથે લડીને ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે... તેઓ ભારતીય જનતા પાર્ટીની તાકાતને ઓછી આંકી રહ્યા છે. આપણે વાસ્તવિકતા જાણીએ છીએ. પીએમ મોદીની લોકપ્રિયતા વિશે આપણે જાણીએ છીએ. અમને અફસોસ પણ છે અને રાહત પણ અનુભવીએ છીએ કે આ ઈન્ડિયા ગઠબંધનના જે મુખ્ય સુત્રધાર હતા તે  તમાથી બહાર આવી ગયા છે.


અભિનંદન આપતા પોસ્ટરો લાગ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)એ રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ (BJP) સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં પીએમ મોદી સાથે નીતીશની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે- નીતિશ દરેકના છે, દરેકને ગર્વ છે- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.