Bihar Politics:નવી સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બનશે ડેપ્યુટી CM!,આજે સાંજે થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2024-01-28 13:14:46

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે જ રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામું આપતા પહેલા નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમારનું આ પગલું એ ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ હતા.


નીતિશ કુમારે શું કહ્યું?

 

નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ  મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે "હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે વધુમાં કહ્યું, આજે અમે અમારું રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે. આગળ શું થાય છે તે જોઈશું.'


RJDના ગંભીર આરોપ 


RJD નેતા એજાઝ અહેમદે નીતીશ પર પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો. એજાઝ અહેમદે કહ્યું, 'અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ગુંડાઓ અને લાલચુ લોકોનું જોડાણ તૈયાર થઈ રહ્યું છે.


જેડીયુ નેતા કેસી ત્યાગીએ આપ્યો કોંગ્રેસને જવાબ 


જેડીયુ નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ' ખડગેજીની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે નીતિશ કુમાર પર તકવાદનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું એક કોકસ ઈન્ડિયા ગઠબંધન પર કબજો કરવા માંગે છે. દિલ્હીની બેઠકમાં ખડગેનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું પરંતુ મુંબઈની બેઠકમાં કોઈનું નામ આગળ નહીં મૂકવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. તમામ બિનકોંગ્રેસી પક્ષોએ કોંગ્રેસ સાથે લડીને ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે... તેઓ ભારતીય જનતા પાર્ટીની તાકાતને ઓછી આંકી રહ્યા છે. આપણે વાસ્તવિકતા જાણીએ છીએ. પીએમ મોદીની લોકપ્રિયતા વિશે આપણે જાણીએ છીએ. અમને અફસોસ પણ છે અને રાહત પણ અનુભવીએ છીએ કે આ ઈન્ડિયા ગઠબંધનના જે મુખ્ય સુત્રધાર હતા તે  તમાથી બહાર આવી ગયા છે.


અભિનંદન આપતા પોસ્ટરો લાગ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)એ રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ (BJP) સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં પીએમ મોદી સાથે નીતીશની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે- નીતિશ દરેકના છે, દરેકને ગર્વ છે- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે