Bihar Politics:નવી સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બનશે ડેપ્યુટી CM!,આજે સાંજે થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2024-01-28 13:14:46

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે જ રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામું આપતા પહેલા નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમારનું આ પગલું એ ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ હતા.


નીતિશ કુમારે શું કહ્યું?

 

નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ  મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે "હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે વધુમાં કહ્યું, આજે અમે અમારું રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે. આગળ શું થાય છે તે જોઈશું.'


RJDના ગંભીર આરોપ 


RJD નેતા એજાઝ અહેમદે નીતીશ પર પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો. એજાઝ અહેમદે કહ્યું, 'અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ગુંડાઓ અને લાલચુ લોકોનું જોડાણ તૈયાર થઈ રહ્યું છે.


જેડીયુ નેતા કેસી ત્યાગીએ આપ્યો કોંગ્રેસને જવાબ 


જેડીયુ નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ' ખડગેજીની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે નીતિશ કુમાર પર તકવાદનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું એક કોકસ ઈન્ડિયા ગઠબંધન પર કબજો કરવા માંગે છે. દિલ્હીની બેઠકમાં ખડગેનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું પરંતુ મુંબઈની બેઠકમાં કોઈનું નામ આગળ નહીં મૂકવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. તમામ બિનકોંગ્રેસી પક્ષોએ કોંગ્રેસ સાથે લડીને ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે... તેઓ ભારતીય જનતા પાર્ટીની તાકાતને ઓછી આંકી રહ્યા છે. આપણે વાસ્તવિકતા જાણીએ છીએ. પીએમ મોદીની લોકપ્રિયતા વિશે આપણે જાણીએ છીએ. અમને અફસોસ પણ છે અને રાહત પણ અનુભવીએ છીએ કે આ ઈન્ડિયા ગઠબંધનના જે મુખ્ય સુત્રધાર હતા તે  તમાથી બહાર આવી ગયા છે.


અભિનંદન આપતા પોસ્ટરો લાગ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)એ રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ (BJP) સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં પીએમ મોદી સાથે નીતીશની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે- નીતિશ દરેકના છે, દરેકને ગર્વ છે- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.