Bihar Train Accident : નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-12 10:57:34

થોડા સમય પહેલા ઓડિશામાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેન અકસ્માત બિહારમાં સર્જાયો છે. બિહારના બક્સરમાં રઘુનાથપુર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે તે ટ્રેન નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રાહત - બચાવ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

  

પાટા પરથી ઉતરી ગયા 21 ડબ્બા 

ગઈકાલ રાત્રે બિહારના બક્સરમાં એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામખ્યા સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન એક દુ:ખદ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિની વૈષ્ણવે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો  

આ ઘટનાને લઈ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કર્યું છે. આ દુર્ઘટનાને લઈ તેમણે શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ તેમણે કહ્યું કે પાટા પરથી ટ્રેન કેવી રીતે ઉતરી તેનું કારણ શું છે, આ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટના ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો. આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે...   


હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - 

આ અકસ્માતને પગલે અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

પટના હેલ્પલાઇન:-9771449971

દાનાપુર હેલ્પલાઇન:-8905697493

વ્યાપારી નિયંત્રણ :-7759070004

આરા હેલ્પલાઇન:-8306182542

પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન- 9794849461, 8081206628



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.