Bihar Train Accident : નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 10:57:34

થોડા સમય પહેલા ઓડિશામાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેન અકસ્માત બિહારમાં સર્જાયો છે. બિહારના બક્સરમાં રઘુનાથપુર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે તે ટ્રેન નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રાહત - બચાવ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

  

પાટા પરથી ઉતરી ગયા 21 ડબ્બા 

ગઈકાલ રાત્રે બિહારના બક્સરમાં એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામખ્યા સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન એક દુ:ખદ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિની વૈષ્ણવે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો  

આ ઘટનાને લઈ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કર્યું છે. આ દુર્ઘટનાને લઈ તેમણે શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ તેમણે કહ્યું કે પાટા પરથી ટ્રેન કેવી રીતે ઉતરી તેનું કારણ શું છે, આ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટના ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો. આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે...   


હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - 

આ અકસ્માતને પગલે અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

પટના હેલ્પલાઇન:-9771449971

દાનાપુર હેલ્પલાઇન:-8905697493

વ્યાપારી નિયંત્રણ :-7759070004

આરા હેલ્પલાઇન:-8306182542

પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન- 9794849461, 8081206628



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.