Bihar Train Accident : નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 10:57:34

થોડા સમય પહેલા ઓડિશામાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેન અકસ્માત બિહારમાં સર્જાયો છે. બિહારના બક્સરમાં રઘુનાથપુર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે તે ટ્રેન નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રાહત - બચાવ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

  

પાટા પરથી ઉતરી ગયા 21 ડબ્બા 

ગઈકાલ રાત્રે બિહારના બક્સરમાં એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામખ્યા સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન એક દુ:ખદ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિની વૈષ્ણવે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો  

આ ઘટનાને લઈ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કર્યું છે. આ દુર્ઘટનાને લઈ તેમણે શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ તેમણે કહ્યું કે પાટા પરથી ટ્રેન કેવી રીતે ઉતરી તેનું કારણ શું છે, આ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટના ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો. આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે...   


હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - 

આ અકસ્માતને પગલે અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

પટના હેલ્પલાઇન:-9771449971

દાનાપુર હેલ્પલાઇન:-8905697493

વ્યાપારી નિયંત્રણ :-7759070004

આરા હેલ્પલાઇન:-8306182542

પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન- 9794849461, 8081206628



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.