Bihar Train Accident : નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 10:57:34

થોડા સમય પહેલા ઓડિશામાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેન અકસ્માત બિહારમાં સર્જાયો છે. બિહારના બક્સરમાં રઘુનાથપુર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે તે ટ્રેન નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રાહત - બચાવ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

  

પાટા પરથી ઉતરી ગયા 21 ડબ્બા 

ગઈકાલ રાત્રે બિહારના બક્સરમાં એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામખ્યા સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન એક દુ:ખદ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિની વૈષ્ણવે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો  

આ ઘટનાને લઈ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કર્યું છે. આ દુર્ઘટનાને લઈ તેમણે શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ તેમણે કહ્યું કે પાટા પરથી ટ્રેન કેવી રીતે ઉતરી તેનું કારણ શું છે, આ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટના ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો. આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે...   


હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - 

આ અકસ્માતને પગલે અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

પટના હેલ્પલાઇન:-9771449971

દાનાપુર હેલ્પલાઇન:-8905697493

વ્યાપારી નિયંત્રણ :-7759070004

આરા હેલ્પલાઇન:-8306182542

પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન- 9794849461, 8081206628



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે