Bikaner Rajasthan - ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના મોત...


  • Published By :
  • Published Date : 2024-02-16 12:06:32

પ્રતિદિન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગઈકાલે પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ફરી એક ભયંકર અકસ્માત ગુજરાતી પરિવારને નડ્યો છે રાજસ્થાનના બિકાનેરમાં... મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી અને ગાડીના કૂચેકૂચા નીકળી ગયા હતા. ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

રાજસ્થાનના બિકાનેરમાં સર્જાયો ગંભીર અકસ્માત  

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થતા હોય છે અને અનેક લોકો ઘાયલ થતા હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને અથવા તો અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો સહિ-સલામત ઘરે આવશે કે નહીં તેનો ડર હવે સતાવતો હોય છે. ગઈકાલે જ ગુજરાતમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે આજે ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ગુજરાતી પરિવારનો એવો ભયંકર અકસ્માત થયો કે ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે.    


અકસ્માતમાં થયા પાંચ લોકોના મોત 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ ટક્કર એવી ભયંકર હતી કે કારનો ભુક્કો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષોનો તેમજ એક છોકરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.