Bikaner Rajasthan - ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના મોત...


  • Published By :
  • Published Date : 2024-02-16 12:06:32

પ્રતિદિન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગઈકાલે પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ફરી એક ભયંકર અકસ્માત ગુજરાતી પરિવારને નડ્યો છે રાજસ્થાનના બિકાનેરમાં... મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી અને ગાડીના કૂચેકૂચા નીકળી ગયા હતા. ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

રાજસ્થાનના બિકાનેરમાં સર્જાયો ગંભીર અકસ્માત  

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થતા હોય છે અને અનેક લોકો ઘાયલ થતા હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને અથવા તો અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો સહિ-સલામત ઘરે આવશે કે નહીં તેનો ડર હવે સતાવતો હોય છે. ગઈકાલે જ ગુજરાતમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે આજે ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ગુજરાતી પરિવારનો એવો ભયંકર અકસ્માત થયો કે ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે.    


અકસ્માતમાં થયા પાંચ લોકોના મોત 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ ટક્કર એવી ભયંકર હતી કે કારનો ભુક્કો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષોનો તેમજ એક છોકરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .