Bikaner Rajasthan - ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના મોત...


  • Published By :
  • Published Date : 2024-02-16 12:06:32

પ્રતિદિન અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગઈકાલે પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ફરી એક ભયંકર અકસ્માત ગુજરાતી પરિવારને નડ્યો છે રાજસ્થાનના બિકાનેરમાં... મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી અને ગાડીના કૂચેકૂચા નીકળી ગયા હતા. ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.

રાજસ્થાનના બિકાનેરમાં સર્જાયો ગંભીર અકસ્માત  

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થતા હોય છે અને અનેક લોકો ઘાયલ થતા હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને અથવા તો અન્ય કારણોસર અકસ્માત સર્જાતા હોય છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો સહિ-સલામત ઘરે આવશે કે નહીં તેનો ડર હવે સતાવતો હોય છે. ગઈકાલે જ ગુજરાતમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે આજે ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ગુજરાતી પરિવારનો એવો ભયંકર અકસ્માત થયો કે ઘટનાસ્થળ પર પાંચ લોકોના મોત થઈ ગયા છે.    


અકસ્માતમાં થયા પાંચ લોકોના મોત 

મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા પાંચ લોકોના મોત થઈ ગયા છે. આ ટક્કર એવી ભયંકર હતી કે કારનો ભુક્કો બોલી ગયો હતો. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષોનો તેમજ એક છોકરીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.