બિલ્કીસ બાનો કેસ: દોષિતોએ સરેન્ડર કરવું જ પડશે, સુપ્રીમ કોર્ટે મુદત વધારવાની અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2024-01-19 18:54:46

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ કરતી 11 દોષિતોની અરજીને શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ દમ નથી.


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?


સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા.

 

આ 11 લોકો છે દોષિત


સજાનો સમય પૂરો થાય તે પહેલા જેલ મુક્ત કરાયેલા 11 દોષિતોમાં બકાભાઈ વોહનિયા, ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપાભાઈ ચાંદના, મિતેશ ચીમનલાલ ભટ્ટ, પ્રદીપ રમણલાલ મોઢિયા, બિપિન ચંદ્ર જોષી, જસવંતભાઈ ચતુરભાઈ નાઈ, રાધેશ્યામ ભગવાનદાસ શાહ, કેશરભાઈ ખીમાભાઈ વોહનિયા, શૈલેશભાઈ ચીમનલાલ ભટ્ટ અને રાજુ ભાઈ સોનીનો સમાવેશ થાય છે.


શું છે બિલ્કીશ બાનો કેસ?


આ  ઘટના સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ હતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.