બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને 'સુપ્રીમ' ફટકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:51:23

બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી 11 દોષિતોને રાતોરાત છોડવાના નિર્ણયને લઈ જવાબ માગ્યો છે, સરકારના નિર્ણયને જાણીતા સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર્તા રૂપ રેખા વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.


રાજ્ય સરકારને SCની નોટિસ 


ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતોને 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદના બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના નિર્ણયને લઈ દેશભરમાં અનેક બુધ્ધીજીવીઓએ સવાલો કર્યા હતા. સરકારના નિર્ણયની સામે સુપ્રીમનો દરવાજો ખખડાવતા અંતે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને નોટીસ ફટકારી હતી.


બિલ્કિસ બાનો કેસ કેસની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.


આજીવન કેદ એટલે જીવનભરની કેદ


સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પછી કેદીઓને મુક્ત કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આજીવન કેદ એટલે જીવનભરની કેદ.જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણન અને મદન બી લકુરની બેન્ચે નિરિક્ષણ કરતા કહ્યું હતું કે "એવી ખોટી માન્યતા હોય છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 કે 20 વર્ષની જેલની સજા પૂરી થવા પર મુક્ત થવાનો અધિકાર છે". કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી કસ્ટડીમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય તે પહેલાં, દોષિતને સંબંધિત સરકારની કોઈ પણ મુક્તિ અથવા માફી સાથે સીઆરપીસીની કલમ 432 હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ સીઆરપીસીની કલમ 433-એ મુજબ, સંબંધિત સરકાર 14 વર્ષ અગાઉ આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી.'


બિલ્કિસ બાનો કેસ શું છે?


ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી રમખાણો થયા હતા, આ દરમિયાન 3 માર્ચ 2002ના દિવસે દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં એક ટોળાએ બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો, આ સમયે બિલ્કિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. બેકાબુ બનેલા ટોળાએ પરિવારના સાત સભ્યોની પણ ક્રુરતાપુર્વક હત્યા કરી નાખી હતી જેમાં બિલ્કિસની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થતો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.