બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને 'સુપ્રીમ' ફટકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:51:23

બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી 11 દોષિતોને રાતોરાત છોડવાના નિર્ણયને લઈ જવાબ માગ્યો છે, સરકારના નિર્ણયને જાણીતા સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર્તા રૂપ રેખા વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.


રાજ્ય સરકારને SCની નોટિસ 


ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતોને 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદના બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના નિર્ણયને લઈ દેશભરમાં અનેક બુધ્ધીજીવીઓએ સવાલો કર્યા હતા. સરકારના નિર્ણયની સામે સુપ્રીમનો દરવાજો ખખડાવતા અંતે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને નોટીસ ફટકારી હતી.


બિલ્કિસ બાનો કેસ કેસની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.


આજીવન કેદ એટલે જીવનભરની કેદ


સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પછી કેદીઓને મુક્ત કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આજીવન કેદ એટલે જીવનભરની કેદ.જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણન અને મદન બી લકુરની બેન્ચે નિરિક્ષણ કરતા કહ્યું હતું કે "એવી ખોટી માન્યતા હોય છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 કે 20 વર્ષની જેલની સજા પૂરી થવા પર મુક્ત થવાનો અધિકાર છે". કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી કસ્ટડીમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય તે પહેલાં, દોષિતને સંબંધિત સરકારની કોઈ પણ મુક્તિ અથવા માફી સાથે સીઆરપીસીની કલમ 432 હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ સીઆરપીસીની કલમ 433-એ મુજબ, સંબંધિત સરકાર 14 વર્ષ અગાઉ આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી.'


બિલ્કિસ બાનો કેસ શું છે?


ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી રમખાણો થયા હતા, આ દરમિયાન 3 માર્ચ 2002ના દિવસે દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં એક ટોળાએ બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો, આ સમયે બિલ્કિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. બેકાબુ બનેલા ટોળાએ પરિવારના સાત સભ્યોની પણ ક્રુરતાપુર્વક હત્યા કરી નાખી હતી જેમાં બિલ્કિસની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થતો હતો. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .