બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને 'સુપ્રીમ' ફટકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:51:23

બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી 11 દોષિતોને રાતોરાત છોડવાના નિર્ણયને લઈ જવાબ માગ્યો છે, સરકારના નિર્ણયને જાણીતા સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર્તા રૂપ રેખા વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.


રાજ્ય સરકારને SCની નોટિસ 


ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતોને 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદના બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના નિર્ણયને લઈ દેશભરમાં અનેક બુધ્ધીજીવીઓએ સવાલો કર્યા હતા. સરકારના નિર્ણયની સામે સુપ્રીમનો દરવાજો ખખડાવતા અંતે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને નોટીસ ફટકારી હતી.


બિલ્કિસ બાનો કેસ કેસની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.


આજીવન કેદ એટલે જીવનભરની કેદ


સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પછી કેદીઓને મુક્ત કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આજીવન કેદ એટલે જીવનભરની કેદ.જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણન અને મદન બી લકુરની બેન્ચે નિરિક્ષણ કરતા કહ્યું હતું કે "એવી ખોટી માન્યતા હોય છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 કે 20 વર્ષની જેલની સજા પૂરી થવા પર મુક્ત થવાનો અધિકાર છે". કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી કસ્ટડીમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય તે પહેલાં, દોષિતને સંબંધિત સરકારની કોઈ પણ મુક્તિ અથવા માફી સાથે સીઆરપીસીની કલમ 432 હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ સીઆરપીસીની કલમ 433-એ મુજબ, સંબંધિત સરકાર 14 વર્ષ અગાઉ આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી.'


બિલ્કિસ બાનો કેસ શું છે?


ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી રમખાણો થયા હતા, આ દરમિયાન 3 માર્ચ 2002ના દિવસે દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં એક ટોળાએ બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો, આ સમયે બિલ્કિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. બેકાબુ બનેલા ટોળાએ પરિવારના સાત સભ્યોની પણ ક્રુરતાપુર્વક હત્યા કરી નાખી હતી જેમાં બિલ્કિસની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થતો હતો. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .