સુપ્રીમ કોર્ટના ફેંસલા અંગે બિલ્કીસ બાનોએ કહ્યું, 'દોઢ વર્ષમાં પહેલીવાર હું હસી છું, આજે મારા માટે નવું વર્ષ છે...'


  • Published By :
  • Published Date : 2024-01-08 23:22:05

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને દોષિતોની સજાની માફીને રદ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર પણ નથી. હવે તમામ 11 ગુનેગારોએ બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે, જ્યાંથી તમામ ગુનેગારોને ફરીથી જેલમાં મોકલવામાં આવશે.


બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો


સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા બિલકિસ બાનોએ પોતાના વકીલ મારફત પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. બિલકિસે કહ્યું કે 'આજનો દિવસ મારા માટે ખરેખર નવું વર્ષ છે. આ નિર્ણયથી મારી આંખોમાં હરખના આંસુ આવી ગયા અને મને તેનાથી રાહત મળી. આજે હું દોઢ વર્ષથી વધુ સમય પછી પ્રથમ વખત હસી રહી છું. આજે મેં મારા બાળકોને ગળે લગાવ્યા. જાણે મારી છાતી પરથી પહાડ જેવો પથ્થર હટી ગયો હોય અને હવે હું રાહતનો શ્વાસ લઈ રહી છું. મને, મારા બાળકો અને મહિલાઓને ટેકો આપવા અને સમાન ન્યાયની આશા આપવા બદલ હું માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું.'


બિલ્કીસે એમ પણ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે ફરી કહું છું, 'મારા જેવી વ્યક્તિથી આ સંઘર્ષ યાત્રા ક્યારેય એકલા હાથે ન કરી શકાય. મારા પતિ અને મારા બાળકો મારી સાથે છે. મારા એવા મિત્રો છે, જેમણે નફરતના સમયમાં પણ મને ખૂબ સમર્થન આપ્યું અને દરેક મુશ્કેલ વળાંક પર મારો હાથ પકડ્યો હતો. મારી પાસે એક અસાધારણ વકીલ છે જે મારી સાથે 20 વર્ષથી કામ કરે છે. તેણે મને ક્યારેય ન્યાય માટેની મારી આશા ગુમાવવા દીધી નથી.'


'હું અંદરથી તુટી ગઈ હતી'  


બિલ્કીસે તેના સંઘર્ષને યાદ કરતા વધુમાં કહ્યું કે દોઢ વર્ષ પહેલા જ્યારે 15 ઓગસ્ટ 2022ના રોજ મારા પરિવારને બરબાદ કરનાર અને મારા અસ્તિત્વને આતંકિત કરનારાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને મને લાગ્યું કે મારી હિંમત ખુટી ગઈ છે, પરંતુ હજારો સામાન્ય લોકો અને મહિલાઓ મારા માટે આગળ આવી હતી. તે મારી પડખે ઊભા રહ્યા અને દેશભરમાંથી હજારો લોકોએ મને પત્રો લખ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મને ટેકો આપનાર દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. આ લોકોએ માત્ર મને જ નહીં પરંતુ ભારતની દરેક મહિલા માટે ન્યાયના વિચારને બચાવવા માટે લડવાની નવી ઇચ્છાશક્તિ આપી છે. હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મારા જીવન અને મારા બાળકોના જીવન માટે મહત્વપૂર્ણ માનું છું, આજે હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું. કાયદો સર્વોચ્ચ છે અને કાયદો તમામ નાગરિકો માટે સમાન છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.