સુપ્રીમ કોર્ટના ફેંસલા અંગે બિલ્કીસ બાનોએ કહ્યું, 'દોઢ વર્ષમાં પહેલીવાર હું હસી છું, આજે મારા માટે નવું વર્ષ છે...'


  • Published By :
  • Published Date : 2024-01-08 23:22:05

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને દોષિતોની સજાની માફીને રદ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર પણ નથી. હવે તમામ 11 ગુનેગારોએ બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે, જ્યાંથી તમામ ગુનેગારોને ફરીથી જેલમાં મોકલવામાં આવશે.


બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો


સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા બિલકિસ બાનોએ પોતાના વકીલ મારફત પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. બિલકિસે કહ્યું કે 'આજનો દિવસ મારા માટે ખરેખર નવું વર્ષ છે. આ નિર્ણયથી મારી આંખોમાં હરખના આંસુ આવી ગયા અને મને તેનાથી રાહત મળી. આજે હું દોઢ વર્ષથી વધુ સમય પછી પ્રથમ વખત હસી રહી છું. આજે મેં મારા બાળકોને ગળે લગાવ્યા. જાણે મારી છાતી પરથી પહાડ જેવો પથ્થર હટી ગયો હોય અને હવે હું રાહતનો શ્વાસ લઈ રહી છું. મને, મારા બાળકો અને મહિલાઓને ટેકો આપવા અને સમાન ન્યાયની આશા આપવા બદલ હું માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું.'


બિલ્કીસે એમ પણ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે ફરી કહું છું, 'મારા જેવી વ્યક્તિથી આ સંઘર્ષ યાત્રા ક્યારેય એકલા હાથે ન કરી શકાય. મારા પતિ અને મારા બાળકો મારી સાથે છે. મારા એવા મિત્રો છે, જેમણે નફરતના સમયમાં પણ મને ખૂબ સમર્થન આપ્યું અને દરેક મુશ્કેલ વળાંક પર મારો હાથ પકડ્યો હતો. મારી પાસે એક અસાધારણ વકીલ છે જે મારી સાથે 20 વર્ષથી કામ કરે છે. તેણે મને ક્યારેય ન્યાય માટેની મારી આશા ગુમાવવા દીધી નથી.'


'હું અંદરથી તુટી ગઈ હતી'  


બિલ્કીસે તેના સંઘર્ષને યાદ કરતા વધુમાં કહ્યું કે દોઢ વર્ષ પહેલા જ્યારે 15 ઓગસ્ટ 2022ના રોજ મારા પરિવારને બરબાદ કરનાર અને મારા અસ્તિત્વને આતંકિત કરનારાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને મને લાગ્યું કે મારી હિંમત ખુટી ગઈ છે, પરંતુ હજારો સામાન્ય લોકો અને મહિલાઓ મારા માટે આગળ આવી હતી. તે મારી પડખે ઊભા રહ્યા અને દેશભરમાંથી હજારો લોકોએ મને પત્રો લખ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મને ટેકો આપનાર દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. આ લોકોએ માત્ર મને જ નહીં પરંતુ ભારતની દરેક મહિલા માટે ન્યાયના વિચારને બચાવવા માટે લડવાની નવી ઇચ્છાશક્તિ આપી છે. હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મારા જીવન અને મારા બાળકોના જીવન માટે મહત્વપૂર્ણ માનું છું, આજે હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું. કાયદો સર્વોચ્ચ છે અને કાયદો તમામ નાગરિકો માટે સમાન છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.