સુપ્રીમ કોર્ટના ફેંસલા અંગે બિલ્કીસ બાનોએ કહ્યું, 'દોઢ વર્ષમાં પહેલીવાર હું હસી છું, આજે મારા માટે નવું વર્ષ છે...'


  • Published By :
  • Published Date : 2024-01-08 23:22:05

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને દોષિતોની સજાની માફીને રદ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર પણ નથી. હવે તમામ 11 ગુનેગારોએ બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે, જ્યાંથી તમામ ગુનેગારોને ફરીથી જેલમાં મોકલવામાં આવશે.


બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો


સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા બિલકિસ બાનોએ પોતાના વકીલ મારફત પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. બિલકિસે કહ્યું કે 'આજનો દિવસ મારા માટે ખરેખર નવું વર્ષ છે. આ નિર્ણયથી મારી આંખોમાં હરખના આંસુ આવી ગયા અને મને તેનાથી રાહત મળી. આજે હું દોઢ વર્ષથી વધુ સમય પછી પ્રથમ વખત હસી રહી છું. આજે મેં મારા બાળકોને ગળે લગાવ્યા. જાણે મારી છાતી પરથી પહાડ જેવો પથ્થર હટી ગયો હોય અને હવે હું રાહતનો શ્વાસ લઈ રહી છું. મને, મારા બાળકો અને મહિલાઓને ટેકો આપવા અને સમાન ન્યાયની આશા આપવા બદલ હું માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું.'


બિલ્કીસે એમ પણ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે ફરી કહું છું, 'મારા જેવી વ્યક્તિથી આ સંઘર્ષ યાત્રા ક્યારેય એકલા હાથે ન કરી શકાય. મારા પતિ અને મારા બાળકો મારી સાથે છે. મારા એવા મિત્રો છે, જેમણે નફરતના સમયમાં પણ મને ખૂબ સમર્થન આપ્યું અને દરેક મુશ્કેલ વળાંક પર મારો હાથ પકડ્યો હતો. મારી પાસે એક અસાધારણ વકીલ છે જે મારી સાથે 20 વર્ષથી કામ કરે છે. તેણે મને ક્યારેય ન્યાય માટેની મારી આશા ગુમાવવા દીધી નથી.'


'હું અંદરથી તુટી ગઈ હતી'  


બિલ્કીસે તેના સંઘર્ષને યાદ કરતા વધુમાં કહ્યું કે દોઢ વર્ષ પહેલા જ્યારે 15 ઓગસ્ટ 2022ના રોજ મારા પરિવારને બરબાદ કરનાર અને મારા અસ્તિત્વને આતંકિત કરનારાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને મને લાગ્યું કે મારી હિંમત ખુટી ગઈ છે, પરંતુ હજારો સામાન્ય લોકો અને મહિલાઓ મારા માટે આગળ આવી હતી. તે મારી પડખે ઊભા રહ્યા અને દેશભરમાંથી હજારો લોકોએ મને પત્રો લખ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મને ટેકો આપનાર દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. આ લોકોએ માત્ર મને જ નહીં પરંતુ ભારતની દરેક મહિલા માટે ન્યાયના વિચારને બચાવવા માટે લડવાની નવી ઇચ્છાશક્તિ આપી છે. હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મારા જીવન અને મારા બાળકોના જીવન માટે મહત્વપૂર્ણ માનું છું, આજે હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું. કાયદો સર્વોચ્ચ છે અને કાયદો તમામ નાગરિકો માટે સમાન છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે