બિલ્કીસ બાનો પહોંચી સુપ્રીમ કોર્ટ, 11 બળાત્કારીઓની જેલ મુક્તીને પડકારી


  • Published By :
  • Published Date : 2022-11-30 14:24:59

બિલ્કીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના દોષિત 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે અને શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?


આ પહેલા પણ બે અરજી દાખલ 


બિલ્કીસ બાનો કેસમાં બે અરજીઓ દાખલ થઈ ચૂકી છે. મુખ્ય અરજી બાદ 21 ઓક્ટોબરે એક મહિલા સંગઠન વતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ અરજીને મુખ્ય પિટિશન સાથે જોડી દીધી હતી. બંને અરજીની સુનાવણી એકસાથે થશે. સુપ્રીમ કોર્ટ પહેલાથી જ 'નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. તે સજાની માફીને અને કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારે છે.


સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારમાં શું જવાબ આપ્યો 


સુપ્રીમ કોર્ટે 18 ઓક્ટોબરે કહ્યું હતું કે સજા માફીને પડકારતી અરજીઓ પર ગુજરાત સરકારનો પ્રતિભાવ ખૂબ જ જબરજસ્ત હતો. તે અનેક ચુકાદાઓને ટાંકે છે, પરંતુ તેમાં હકીકતલક્ષી નિવેદનો ખૂટે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટનો જવાબ દાખલ કરવા માટે અરજદારોને સમય આપતાં આ મામલાની વધુ સુનાવણી 29 નવેમ્બરે નિયત કરી હતી.



જાણો શું છે મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. ત્યારે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણો વખતે જીવ બચાવીને ભાગતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.


11 દોષિતો જેલમુક્ત


ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે તેની માફી નીતિ મુજબ 11 દોષિતોને જેલમુક્તી આપી છે. આ દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગોધરા સબ-જેલમાં 15 વર્ષથી વધુ સમયની સજા ભોગવ્યા બાદ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે