બિલ્કીસ બાનો પહોંચી સુપ્રીમ કોર્ટ, 11 બળાત્કારીઓની જેલ મુક્તીને પડકારી


  • Published By :
  • Published Date : 2022-11-30 14:24:59

બિલ્કીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના દોષિત 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે અને શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?


આ પહેલા પણ બે અરજી દાખલ 


બિલ્કીસ બાનો કેસમાં બે અરજીઓ દાખલ થઈ ચૂકી છે. મુખ્ય અરજી બાદ 21 ઓક્ટોબરે એક મહિલા સંગઠન વતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ અરજીને મુખ્ય પિટિશન સાથે જોડી દીધી હતી. બંને અરજીની સુનાવણી એકસાથે થશે. સુપ્રીમ કોર્ટ પહેલાથી જ 'નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. તે સજાની માફીને અને કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારે છે.


સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારમાં શું જવાબ આપ્યો 


સુપ્રીમ કોર્ટે 18 ઓક્ટોબરે કહ્યું હતું કે સજા માફીને પડકારતી અરજીઓ પર ગુજરાત સરકારનો પ્રતિભાવ ખૂબ જ જબરજસ્ત હતો. તે અનેક ચુકાદાઓને ટાંકે છે, પરંતુ તેમાં હકીકતલક્ષી નિવેદનો ખૂટે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટનો જવાબ દાખલ કરવા માટે અરજદારોને સમય આપતાં આ મામલાની વધુ સુનાવણી 29 નવેમ્બરે નિયત કરી હતી.



જાણો શું છે મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. ત્યારે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણો વખતે જીવ બચાવીને ભાગતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.


11 દોષિતો જેલમુક્ત


ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે તેની માફી નીતિ મુજબ 11 દોષિતોને જેલમુક્તી આપી છે. આ દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગોધરા સબ-જેલમાં 15 વર્ષથી વધુ સમયની સજા ભોગવ્યા બાદ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .