બિલ્કીસ બાનો પહોંચી સુપ્રીમ કોર્ટ, 11 બળાત્કારીઓની જેલ મુક્તીને પડકારી


  • Published By :
  • Published Date : 2022-11-30 14:24:59

બિલ્કીસ બાનોએ 2002ના ગોધરા રમખાણો દરમિયાન ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના દોષિત 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ મુદ્દાની તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે અને શું તેમની એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?


આ પહેલા પણ બે અરજી દાખલ 


બિલ્કીસ બાનો કેસમાં બે અરજીઓ દાખલ થઈ ચૂકી છે. મુખ્ય અરજી બાદ 21 ઓક્ટોબરે એક મહિલા સંગઠન વતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ અરજીને મુખ્ય પિટિશન સાથે જોડી દીધી હતી. બંને અરજીની સુનાવણી એકસાથે થશે. સુપ્રીમ કોર્ટ પહેલાથી જ 'નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. તે સજાની માફીને અને કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારે છે.


સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારમાં શું જવાબ આપ્યો 


સુપ્રીમ કોર્ટે 18 ઓક્ટોબરે કહ્યું હતું કે સજા માફીને પડકારતી અરજીઓ પર ગુજરાત સરકારનો પ્રતિભાવ ખૂબ જ જબરજસ્ત હતો. તે અનેક ચુકાદાઓને ટાંકે છે, પરંતુ તેમાં હકીકતલક્ષી નિવેદનો ખૂટે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટનો જવાબ દાખલ કરવા માટે અરજદારોને સમય આપતાં આ મામલાની વધુ સુનાવણી 29 નવેમ્બરે નિયત કરી હતી.



જાણો શું છે મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સાથે સંબંધિત છે. ત્યારે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણો વખતે જીવ બચાવીને ભાગતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.


11 દોષિતો જેલમુક્ત


ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે તેની માફી નીતિ મુજબ 11 દોષિતોને જેલમુક્તી આપી છે. આ દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગોધરા સબ-જેલમાં 15 વર્ષથી વધુ સમયની સજા ભોગવ્યા બાદ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.