બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિને તિરંગો ફરકાવી લીધો અંતિમ શ્વાસ, જાણો તેમના અમૂલ્ય યોગદાન વિશે


  • Published By :
  • Published Date : 2023-08-15 18:31:39

દુનિયાભરમાં શૌચાલયનું મહત્વ સમજાવનારા અને કરોડો લોકોનું જીવન આસાન બનાવનારા બિંદેશ્વર પાઠકનું આજે નિધન થયું છે. 80 વર્ષીય બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિને સવારે રાષ્ટ્રિય ધ્વજ ફરકાવ્યો અને તરત જ ઢળી પડ્તા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે એઈમ્સના તબીબોએ બપોરે 1.42 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. હ્રદયના ધબકારા બંધ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આજે તમે દેશના તમામ શહેરોમાં જે સુલભ શૌચાલય જુઓ છો તે બિંદેશ્વર પાઠકની દેણ છે. તેમણે સુલભ શૌચાલયને એક ઈન્ટરનેશનલ બ્રાંડ બનાવી દીધી છે. પાઠકે જ સુલભ શૌચાલયની શરૂઆત કરી હતી. બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં 2 એપ્રિલ 1943ના રોજ પાઠકનો જન્મ થયો હતો.


9 ઓરડાના ઘરમાં એક પણ શૌચાલય નહીં


બિંદેશ્વર પાઠક એક એવા ઘરમાં ઉછર્યા હતા જેમાં 9 ઓરડા હતા પરંતુ એક પણ શૌચાલય નહોંતું. ઘરની મહિલાઓ સવારે વહેલા ઉઠીને બહાર જતી હતી. કારણ કે દિવસે બહાર શૌચ કરવું મુશ્કેલ હતું. આ જ કારણે તેઓ અનેક સમસ્યાઓ અને બીમારીઓથી પિડાતી હતી, આ બાબતે પાઠકને વિચલિત કરી દીધા હતા. તેઓ આ સમસ્યાનું નિવારણ કરવા માગતા હતા. તેમણે સ્વચ્છતાના ક્ષેત્રે કાંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો અને દેશમાં મોટા પરિવર્તનની દિશામાં આગળ વધ્યા.


મેંલુ ઉપાડવા અને ખુલ્લામાં શૌચની સમસ્યાનું નિવારણ


બિંદેશ્વર પાઠકે બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. આ પછી તેમણે પટના યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડી કર્યું હતું. તેમણે વર્ષ 1968-69માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી સમારોહ સમિતિ સાથે કામ કર્યું હતું. આ સમિતિએ જ તેમને સસ્તું શૌચાલય ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરવા જણાવ્યું હતું. તે સમયે ઉચ્ચ જાતિના પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા માટે શૌચાલય ક્ષેત્રમાં કામ કરવું સરળ નહોતું. પરંતુ તેમણે ક્યારેય પીછેહઠ ન કરી. તેમણે જાતે સફાઈ અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ કર્યું.


સસરા ખૂબ ગુસ્સે થયા હતા


બિંદેશ્વર પાઠક દેશને શૌચ મુક્ત બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તે જ રીતે તેમના સગા સંબંધીઓ અને પરિચિત લોકો પણ તેમના પર ગુસ્સે થયા હતા. પાઠકના સસરા શૌચાલયવાળાના કામથી ખૂબ નારાજ હતા. તેમણે પાઠકને ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ ક્યારેય તેમનો ચહેરો ન બતાવે. તેઓ કહેતા હતા કે તેમની દીકરીની જિંદગી તેમણે બરબાદ કરી નાખી છે. આ બધી બાબતોના જવાબમાં પાઠક માત્ર એક જ વાત કહેતા હતા કે તેઓ ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.


બનાવ્યું ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલય 


આ પછી, વર્ષ 1970 માં, બિંદેશ્વર પાઠકે સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના કરી, તે એક સામાજિક સંસ્થા હતી. સુલભ ઇન્ટરનેશનલમાં, તેમણે બે ખાડાવાળું ફ્લશ ટોઇલેટ વિકસાવ્યું હતું. તેમણે ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયની શોધ કરી. તે ઓછા ખર્ચે ઘરની આસપાસ જોવા મળતી સામગ્રીમાંથી બનાવી શકાય છે. પછી તેમણે દેશભરમાં સુલભ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. પાઠકને તેમના આ અમૂલ્ય યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો.


PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું


પીએમ મોદીએ પણ બિંદેશ્વર પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે ટ્વીટ કરતા લખ્યું " ડો. બિંદેશ્વર પાઠકજીનું અવસાન આપણા દેશમાં મોટી ખોટ છે, તે એક દુરંદેશી વ્યક્તિ હતા, તેમણે સામાજીક પ્રગતિ અને વંચિતોને સશક્ત બનાવવા માટે મોટા પ્રમાણમાં કામ કર્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.