ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો, અરબ સાગર બન્યો વાવાઝોડાનું હોટ સ્પોટ, બે દાયકામાં રાજ્ય પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 19:11:11

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. જો કે આ સ્થિતીમાં હવામાન નિષ્ણાતો એક મહત્વના સવાલ પર ચિંતન કરી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરબ સાગર વાવાઝોડાનું હોટ સ્પોટ બન્યો છે. સંસોધનો મુજબ છેલ્લા બે દાયકામાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે. એક સમય હતો જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતો વધુ જોવા મળતા હતા પરંતું છેલ્લા બે દાયકામાં ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો છે.


શા માટે વધી રહ્યા છે વાવાઝોડા?


હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડા વધી રહ્યા છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં સરેરાશ વર્ષે 10.1 મી.લિ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે, વળી આ પ્રવૃતિ વાર્ષિક બની ગઈ હોય તેમ લાગે છે. સમુદ્રની સુપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિગના કારણે આ સ્થિતી વધુ ખતરનાક બની છે.


ગુજરાત પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા?


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1975થી 2000 દરમિયાન ગુજરાત પર 7 જેટલા ચક્રવાતો ત્રાટક્યા હતા. જે સંખ્યા વર્ષ 2021થી 2023ના સમયગાળમાં વધીને 20 જેટલી થઈ છે. આ તમામ વાવાઝોડામાં સૌથી ભયાનક વર્ષ 2004-ઓનિલ, 2006-મડકા, 2010-ફેટ, 2014- નિલોફર, 2015-ચાપલા અને મેઘ, 2019 વાયુ અને ફાની, વર્ષ 2020 -નિસર્ગ, વર્ષ 2021 તોક્તે અને વર્ષ 2023માં બિપોરજોય વાવાઝોડાનો સમાવેશ થાય છે.


આ જિલ્લા વાવાઝોડા માટે સંવેદનશીલ 


ગુજરાતના સમુદ્ર કિનારાના જિલ્લા વાવાઝોડા માટે સૌથી સંવેદનશીલ મનાય છે. આ જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, દિવ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ, મોરબી, નવસારી, જામનગરનો સમાવેશ થાય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .