ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો, અરબ સાગર બન્યો વાવાઝોડાનું હોટ સ્પોટ, બે દાયકામાં રાજ્ય પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 19:11:11

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. જો કે આ સ્થિતીમાં હવામાન નિષ્ણાતો એક મહત્વના સવાલ પર ચિંતન કરી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરબ સાગર વાવાઝોડાનું હોટ સ્પોટ બન્યો છે. સંસોધનો મુજબ છેલ્લા બે દાયકામાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે. એક સમય હતો જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતો વધુ જોવા મળતા હતા પરંતું છેલ્લા બે દાયકામાં ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો છે.


શા માટે વધી રહ્યા છે વાવાઝોડા?


હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડા વધી રહ્યા છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં સરેરાશ વર્ષે 10.1 મી.લિ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે, વળી આ પ્રવૃતિ વાર્ષિક બની ગઈ હોય તેમ લાગે છે. સમુદ્રની સુપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિગના કારણે આ સ્થિતી વધુ ખતરનાક બની છે.


ગુજરાત પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા?


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1975થી 2000 દરમિયાન ગુજરાત પર 7 જેટલા ચક્રવાતો ત્રાટક્યા હતા. જે સંખ્યા વર્ષ 2021થી 2023ના સમયગાળમાં વધીને 20 જેટલી થઈ છે. આ તમામ વાવાઝોડામાં સૌથી ભયાનક વર્ષ 2004-ઓનિલ, 2006-મડકા, 2010-ફેટ, 2014- નિલોફર, 2015-ચાપલા અને મેઘ, 2019 વાયુ અને ફાની, વર્ષ 2020 -નિસર્ગ, વર્ષ 2021 તોક્તે અને વર્ષ 2023માં બિપોરજોય વાવાઝોડાનો સમાવેશ થાય છે.


આ જિલ્લા વાવાઝોડા માટે સંવેદનશીલ 


ગુજરાતના સમુદ્ર કિનારાના જિલ્લા વાવાઝોડા માટે સૌથી સંવેદનશીલ મનાય છે. આ જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, દિવ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ, મોરબી, નવસારી, જામનગરનો સમાવેશ થાય છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .