બિપોરજોય વાવાઝોડુંનો સામનો કરવા સેના તૈયાર, આર્મીની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:29:30

ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકવાનું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર સૌથી વધુ જોખમ છે. કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં સુદ્રઢ બનાવવા પર પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. વાવાઝોડાના ભયાનકતા જોતા કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈ પણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. સેનાના જવાનો રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કચ્છમાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બિપોરજોય વાવાઝોડાની તૈયારીઓને જોતા સેનાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. 


કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત


કચ્છના સ્થાનિક વહીવટીતંત્રના જણઆવ્યા પ્રમાણે કચ્છના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવવામાં આવી રહ્યા છે. આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ પશ્ચિમના એસપી, ડો. કરણરાજ વાઘેલાના જણાવ્યા પ્રમાણે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને અમે તમામ બીચ બંધ કરી દીધા છે. 



કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કરી રદ 


ભયાનક ચક્રવાત બિપોરજોયના કારણે  મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે.પશ્ચિમ રેલવેના CPROના જણાવ્યા પ્રમાણે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનો ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે જ્યારે 26 ટ્રેનો શોર્ટ-ઓરજિનેટ કરવામાં આવી છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.