બિપોરજોય વાવાઝોડુંનો સામનો કરવા સેના તૈયાર, આર્મીની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:29:30

ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકવાનું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર સૌથી વધુ જોખમ છે. કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં સુદ્રઢ બનાવવા પર પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. વાવાઝોડાના ભયાનકતા જોતા કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈ પણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. સેનાના જવાનો રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કચ્છમાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બિપોરજોય વાવાઝોડાની તૈયારીઓને જોતા સેનાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. 


કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત


કચ્છના સ્થાનિક વહીવટીતંત્રના જણઆવ્યા પ્રમાણે કચ્છના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવવામાં આવી રહ્યા છે. આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ પશ્ચિમના એસપી, ડો. કરણરાજ વાઘેલાના જણાવ્યા પ્રમાણે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને અમે તમામ બીચ બંધ કરી દીધા છે. 



કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કરી રદ 


ભયાનક ચક્રવાત બિપોરજોયના કારણે  મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે.પશ્ચિમ રેલવેના CPROના જણાવ્યા પ્રમાણે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનો ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે જ્યારે 26 ટ્રેનો શોર્ટ-ઓરજિનેટ કરવામાં આવી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.