બિપોરજોય વાવાઝોડુંનો સામનો કરવા સેના તૈયાર, આર્મીની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:29:30

ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠા પર ત્રાટકવાનું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર સૌથી વધુ જોખમ છે. કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં સુદ્રઢ બનાવવા પર પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. વાવાઝોડાના ભયાનકતા જોતા કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈ પણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. સેનાના જવાનો રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કચ્છમાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બિપોરજોય વાવાઝોડાની તૈયારીઓને જોતા સેનાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. 


કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


2 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત


કચ્છના સ્થાનિક વહીવટીતંત્રના જણઆવ્યા પ્રમાણે કચ્છના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવવામાં આવી રહ્યા છે. આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ પશ્ચિમના એસપી, ડો. કરણરાજ વાઘેલાના જણાવ્યા પ્રમાણે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને અમે તમામ બીચ બંધ કરી દીધા છે. 



કચ્છમાં 6,730 લોકોનું સ્થળાંતર


બિપોરજોય વાવાઝોડાથી લોકોને બચાવવાના ભાગરૂપે કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.


પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કરી રદ 


ભયાનક ચક્રવાત બિપોરજોયના કારણે  મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે.પશ્ચિમ રેલવેના CPROના જણાવ્યા પ્રમાણે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનો ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે જ્યારે 26 ટ્રેનો શોર્ટ-ઓરજિનેટ કરવામાં આવી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.