બિપોરજોય વાવાઝોડું: AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટીના કાર્યકરોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-12 17:55:22

બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી, અસરગ્રસ્ત જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કુદરતી હોનારતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આપના કાર્યકરોને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવાની અપીલ કરી છે.


ઈસુદાન ગઢવીએ કરી અપીલ


બિપોરજોય ચક્રવાતની ભયાનકતા અને વિનાશકતા જોતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આપના કાર્યકરોને લોકોને મદદની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'આમ આદમીના તમામ સૈનિકો આફતના સમયમાં તૈયાર રહે ! વાવાઝોડાની આફત ગુજરાત પર મંડરાઈ રહી છે તો તમામ યોદ્ધાઓ અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તૈયાર થઇ જાય ! ઈશ્વર આ આફતમાંથી ઉગારે પરંતુ આપણે સૌ વધુમાં વધુ લોકોની મદદ કરીએ એવી હું સૌ ને અપીલ કરુંછું!'


AAPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત કામગીરી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ  જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો આ હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.