બિપોરજોય વાવાઝોડું: AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટીના કાર્યકરોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-12 17:55:22

બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી, અસરગ્રસ્ત જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કુદરતી હોનારતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આપના કાર્યકરોને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવાની અપીલ કરી છે.


ઈસુદાન ગઢવીએ કરી અપીલ


બિપોરજોય ચક્રવાતની ભયાનકતા અને વિનાશકતા જોતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આપના કાર્યકરોને લોકોને મદદની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'આમ આદમીના તમામ સૈનિકો આફતના સમયમાં તૈયાર રહે ! વાવાઝોડાની આફત ગુજરાત પર મંડરાઈ રહી છે તો તમામ યોદ્ધાઓ અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તૈયાર થઇ જાય ! ઈશ્વર આ આફતમાંથી ઉગારે પરંતુ આપણે સૌ વધુમાં વધુ લોકોની મદદ કરીએ એવી હું સૌ ને અપીલ કરુંછું!'


AAPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત કામગીરી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ  જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો આ હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.