બિપોરજોય વાવાઝોડું: AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પાર્ટીના કાર્યકરોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-12 17:55:22

બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી, અસરગ્રસ્ત જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ કુદરતી હોનારતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આપના કાર્યકરોને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવાની અપીલ કરી છે.


ઈસુદાન ગઢવીએ કરી અપીલ


બિપોરજોય ચક્રવાતની ભયાનકતા અને વિનાશકતા જોતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને આપના કાર્યકરોને લોકોને મદદની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'આમ આદમીના તમામ સૈનિકો આફતના સમયમાં તૈયાર રહે ! વાવાઝોડાની આફત ગુજરાત પર મંડરાઈ રહી છે તો તમામ યોદ્ધાઓ અસરગ્રસ્ત લોકો માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તૈયાર થઇ જાય ! ઈશ્વર આ આફતમાંથી ઉગારે પરંતુ આપણે સૌ વધુમાં વધુ લોકોની મદદ કરીએ એવી હું સૌ ને અપીલ કરુંછું!'


AAPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


બિપોરજોય વાવાઝોડામાં બચાવ અને રાહત કામગીરી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ જિલ્લાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. AAPએ  જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો આ હેલ્પલાઈન નંબરોનો ઉપયોગ કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.