બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ગામોમાં વીજ સંકટ, સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન


  • Published By :
  • Published Date : 2023-06-14 15:54:10

વિનાશકારી બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતી ચિંતાજનક બની છે. લોકોના જાનમાલના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભારે વરસાદ અને સુસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્રના અને કચ્છના 11 કેવીના 1293 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. તો બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જેટલાં જિલ્લાઓમાં દરિયાકાંઠાની જમીન સુધીના 5 કિલોમીટર વિસ્તારોમાં 65 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 563 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમોએ સાંજે સાત વાગ્યાથી સવાર સુધીમાં કુલ 498 ગામડાંઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપ્યો છે. હજુ બાકી રહેલ 65 ગામડાંઓમાં કામગીરી ચાલુ છે. 12020 જેટલાં વીજ પોલને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.


PGVCLને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન 


કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં ગઈ કાલે સાંજે જે.જી વાયના 129 ફીડર ફોલ્ટમાં હતા. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમો દ્વારા કુલ 113 ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે અને બાકી રહેતા 16 ફીડરમાં કામગીરી ચાલુ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 327 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ  PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


આ જિલ્લાઓના ગામોમાં વીજળી ગુલ


રાજકોટ એગ્રીકલ્ચર 95, પોરબંદરમાં જ્યોતિગ્રામ 07, એગ્રીકલ્ચર 106, ગામમો 21,જુનાગઢ એગ્રીકલ્ચર 120,જામનગર જ્યોર્તિગ્રામ 03 ,એગ્રીકલ્ચર 327, ગામો 15, ભુજ જ્યોર્તિગ્રામ 06, એગ્રીકલ્ચર 217, ગામો 28અંજાર એગ્રીકલ્ચર 52, ભાવનગર એગ્રીકલ્ચર 46, બોટાદ એગ્રીકલ્ચર 37, અમરેલી એગ્રીકલ્ચર 124 અને સુરેન્દ્રનગર જિલ્લાના 116 ગામોનો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.