દ્વારકા પર વધતું બિપોરજોયનું સંકટ! હર્ષ સંઘવીએ ગોમતીઘાટ જઈ પરિસ્થિતિ અંગે કરી સમીક્ષા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 13:12:46

દ્વારકા, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા અનેક મંત્રીઓને અનેક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં  આવી છે. ત્યારે દ્વારકાની જવાબદારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. જવાબદારી મળતા જ દ્વારકા તેઓ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે ગોમતીઘાટ પર જઈ જાત નિરિક્ષણ તેમણે કર્યું હતું. તે સિવાય ઋષિકેશ પટેલે પણ ભુજના માનકુવાના ફુડ પેકેટ સેન્ટરની મુલાકાત લીધી હતી. 

 

મુખ્યમંત્રી રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર!  

ગુજરાતમાં સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર સજ્જ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે સિવાય મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. દ્વારકાની જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. ત્યારે દ્વારકાના ગોમતીઘાટની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી એનડીઆરએફની તેમજ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે સિવાય વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.


હર્ષ સંઘવીએ ગોમતીઘાટની લીધી મુલાકાત

વાવાઝોડાને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે લોકોના જીવ પર સંકટ ન રહે તે માટે અનેક મોટા મંદિરોને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાધીશ આવેલી આફતને ટાળી દેશે તેવી આસ્થા લોકો રાખી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ દ્વારકાના ગોમતીઘાટની મુલાકાત લીધી હતી.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.