દ્વારકા પર વધતું બિપોરજોયનું સંકટ! હર્ષ સંઘવીએ ગોમતીઘાટ જઈ પરિસ્થિતિ અંગે કરી સમીક્ષા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 13:12:46

દ્વારકા, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા અનેક મંત્રીઓને અનેક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં  આવી છે. ત્યારે દ્વારકાની જવાબદારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. જવાબદારી મળતા જ દ્વારકા તેઓ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે ગોમતીઘાટ પર જઈ જાત નિરિક્ષણ તેમણે કર્યું હતું. તે સિવાય ઋષિકેશ પટેલે પણ ભુજના માનકુવાના ફુડ પેકેટ સેન્ટરની મુલાકાત લીધી હતી. 

 

મુખ્યમંત્રી રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર!  

ગુજરાતમાં સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર સજ્જ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે સિવાય મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. દ્વારકાની જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. ત્યારે દ્વારકાના ગોમતીઘાટની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી એનડીઆરએફની તેમજ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે સિવાય વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.


હર્ષ સંઘવીએ ગોમતીઘાટની લીધી મુલાકાત

વાવાઝોડાને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે લોકોના જીવ પર સંકટ ન રહે તે માટે અનેક મોટા મંદિરોને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાધીશ આવેલી આફતને ટાળી દેશે તેવી આસ્થા લોકો રાખી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ દ્વારકાના ગોમતીઘાટની મુલાકાત લીધી હતી.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.