બિપોરજોય વાવાઝોડું બન્યું ભયાવહ! આ પોર્ટો પર લગાવાયું નંબર 9 સિગ્નલ! જાણો કેવી પરિસ્થિતિમાં અપાય છે આ સિગ્નલ?


  • Published By :
  • Published Date : 2023-06-12 11:23:23

ચારેય તરફ હાલ વાવાઝોડાની વાત કરવામાં આવી રહી છે. વાવાઝોડા પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે પરંતુ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાત તરફ તેજગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને પોરબંદરથી 340 જેટલા કિલોમીટર જ દૂર છે. આ અંતર સતત ઘટી રહ્યું છે જ્યારે વાવાઝોડાની તીવ્રતા સતત વધતી જઈ રહી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી ઓખા અને સલાયા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર પોર્ટ પર 9 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યં છે.  


ભારતમાં તીવ્રતા દર્શાવવા 11 સિગ્નલનો થાય છે ઉપયોગ!

જેમ જેમ વાવાઝોડાની તીવ્રતા વધતી જાય છે તેમ તેમ સિગ્નલો પણ અલગ અલગ આપવામાં આવે છે. વાવાઝોડાની તીવ્રતા જોઈ અલગ અલગ સિગ્નલો આપવામાં આવે છે અને જે સિગ્નલો આપવામાં આવે છે તેની ઉપરથી વાવાઝોડું કેટલું દૂર છે તેની કેટલી ગતિ છે તે બધું જાણી શકાય છે. અનેક દેશોમાં સિગ્નલો દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભારતમાં આ માટે 11 સિગ્નલો ઉપયોગ કરવામાં આવે છે. વાવાઝોડાની ગંભીરતાને લઈ અલગ અલગ સિગ્નલો અપાતા હોય છે ત્યારે જાણીએ ક્યારે કયાં સિગ્નલ આપવામાં આવે છે.   



જાણો ક્યારે અપાય છે સિગ્નલ નંબર 1થી સિગ્નલ નંબર 11 ?  

સિગ્નલ નંબર 1 ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું હોય. આ સિગ્ન દરમિયાન પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હોય છે. જો પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાકે હોય તે દરમિયાન વાવાઝોડું સર્જાયું છે તે વખતે સિગ્નલ નંબર 2 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 3 અને સિગ્નલ નંબર 4 બંદરોની સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે. સિગ્નલ નંબર 3 ત્યારે આપવામાં આવે છે જ્યારે વાવાઝોડા બંદર સુધી પહોંચી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 60થી 90 કિલોમીટર પ્રતિકલાક રહેશે.સિગ્નલ નંબર 4 સ્થાનિક તંત્રને વોર્નિંગ આપવામાં આવે છે કે બંદરને અસર કરી શકે છે. 



ભયનો સંકેત સિગ્નલ નંબર 4  દર્શાવે છે. વાવાઝોડાને કારણે બંદરના હવામાનને અસર થઈ શકે છે. બંદરની ડાબુ બાજુથી વાવાઝોડું પસાર થઈ શકે છે. જો સિગ્નલ નંબર 6 આપવામાં આવ્યું હોય તો વાવાઝોડું ડાબી બાજુથી પસાર થઈ શકે છે. જો બંદર ઉપરથી અથવા તો બંદર નજીકથી વાવાઝોડું પસાર થવાનું હોય ત્યારે સિગ્નલ નંબર 7 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 8નું એલર્ટ આપવામાં આવ્યું હોય તો તેનો મતલબ થાય છે કે તે સમય દરમિયાન હવાની ઝડપ 90થી 120 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. વાવાઝોડું જમણી બાજુથી પસાર થશે. 



જો સિગ્નલ નંબર 9 આપવામાં આવ્યું હોય તો ચક્રવાત ડાબી બાજુથી પસાર થઈ શકે છે. સિગ્નલ નંબર 10ને ખૂબ જ જોખમનું એલર્ટ માનવામાં આવે છે. આ વાવાઝોડાને અતિ ભયંકર માનવામાં આવે છે. બંદર પરથી અથવા તો તેની આજુબાજુથી પસાર થશે અને પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિકલાકે રહેતી હોય છે. અને સૌથી છેલ્લે સિગ્નલ નંબર 11 આપવામાં આવે છે જેનો અર્થ થાય છે કે  બંદર સાથેના તમામ સંપર્ક તૂટી પડયા છે. બંદર ખતરામાં હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.