અકાસા એરલાઇનની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું,બેંગ્લોર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:48:05

એરલાઇન્સની દુનિયામાં હમણાં જ શામેલ થયેલ અકાસા એરલાઇનની ફ્લાઇટમાં પક્ષી અથડાવવાની ઘટના બની,મુંબઈથી ઉડાન ભરી ફ્લાઇટ બેંગલોર તરફ જઈ રહી હતી તે દરમિયાન ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું,સૂત્રોની માહિતી મુજબ પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. પણ હાલ આ બાબતે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી


પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. તપાસમાં એક એન્જીન પર પક્ષી બળી જવાના નિશાન મળી આવ્યા છે.

અકાસા એરલાઈન્સની મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ આજે ખોરવાઈ ગઈ હતી. મુંબઈથી ટેકઓફ કર્યા બાદ પક્ષી તેમના પ્લેન સાથે અથડાયું હતું. QP-1103 નંબરની ફ્લાઈટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે