અકાસા એરલાઇનની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું,બેંગ્લોર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:48:05

એરલાઇન્સની દુનિયામાં હમણાં જ શામેલ થયેલ અકાસા એરલાઇનની ફ્લાઇટમાં પક્ષી અથડાવવાની ઘટના બની,મુંબઈથી ઉડાન ભરી ફ્લાઇટ બેંગલોર તરફ જઈ રહી હતી તે દરમિયાન ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું,સૂત્રોની માહિતી મુજબ પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. પણ હાલ આ બાબતે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી


પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. તપાસમાં એક એન્જીન પર પક્ષી બળી જવાના નિશાન મળી આવ્યા છે.

અકાસા એરલાઈન્સની મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ આજે ખોરવાઈ ગઈ હતી. મુંબઈથી ટેકઓફ કર્યા બાદ પક્ષી તેમના પ્લેન સાથે અથડાયું હતું. QP-1103 નંબરની ફ્લાઈટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.