અકાસા એરલાઇનની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું,બેંગ્લોર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:48:05

એરલાઇન્સની દુનિયામાં હમણાં જ શામેલ થયેલ અકાસા એરલાઇનની ફ્લાઇટમાં પક્ષી અથડાવવાની ઘટના બની,મુંબઈથી ઉડાન ભરી ફ્લાઇટ બેંગલોર તરફ જઈ રહી હતી તે દરમિયાન ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું,સૂત્રોની માહિતી મુજબ પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. પણ હાલ આ બાબતે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી


પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. તપાસમાં એક એન્જીન પર પક્ષી બળી જવાના નિશાન મળી આવ્યા છે.

અકાસા એરલાઈન્સની મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ આજે ખોરવાઈ ગઈ હતી. મુંબઈથી ટેકઓફ કર્યા બાદ પક્ષી તેમના પ્લેન સાથે અથડાયું હતું. QP-1103 નંબરની ફ્લાઈટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .