Mahatma Gandhi તેમજ Lal Bahadur Shastriની આજે જન્મજયંતિ, President તેમજ PMએ બંને રાજનેતાઓને અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-10-02 10:36:20

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. બંને રાજનેતાઓએ પોતાના દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ ગાંધી બાપુને રાજઘાટ ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયઘાટ પર જઈ રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.  તે સિવાય અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને રાજનેતાઓને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ બાપુને કર્યા યાદ 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોતાના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છે. તેમના ઉપદેશો માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. 


દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ પર લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. "



મહાત્મા ગાંધીને વિદેશમાં વસતા લોકો પણ યાદ કરે છે!

મહાત્મા ગાંધી જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓખળીએ છીએ તેમની આજે જન્મ જયંતી છે. મહાત્મા ગાંધીને ન માત્ર ભારતમાં યાદ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. બાપુના તેમજ ગાંધીવાદી વિચારધારાના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં વસે છે. વિદેશીઓ પણ બાપુને માનથી બોલાવે છે. વિદેશથી જ્યારે કોઈ રાષ્ટ્રીય મહેમાન ભારત આવે છે ત્યારે તેઓ અચૂકપણ રાજઘાટ જઈ બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા હોય છે. ગાંધીજીએ અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .