Mahatma Gandhi તેમજ Lal Bahadur Shastriની આજે જન્મજયંતિ, President તેમજ PMએ બંને રાજનેતાઓને અર્પી પુષ્પાંજલિ


  • Published By :
  • Published Date : 2023-10-02 10:36:20

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. બંને રાજનેતાઓએ પોતાના દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ ગાંધી બાપુને રાજઘાટ ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયઘાટ પર જઈ રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.  તે સિવાય અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને રાજનેતાઓને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. 


સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ બાપુને કર્યા યાદ 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોતાના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છે. તેમના ઉપદેશો માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. 


દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ પાઠવી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધી ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ પર લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. "



મહાત્મા ગાંધીને વિદેશમાં વસતા લોકો પણ યાદ કરે છે!

મહાત્મા ગાંધી જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓખળીએ છીએ તેમની આજે જન્મ જયંતી છે. મહાત્મા ગાંધીને ન માત્ર ભારતમાં યાદ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. બાપુના તેમજ ગાંધીવાદી વિચારધારાના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં વસે છે. વિદેશીઓ પણ બાપુને માનથી બોલાવે છે. વિદેશથી જ્યારે કોઈ રાષ્ટ્રીય મહેમાન ભારત આવે છે ત્યારે તેઓ અચૂકપણ રાજઘાટ જઈ બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા હોય છે. ગાંધીજીએ અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .