રાજકોટમાં જાહેર રસ્તા પર કરાઈ બર્થ-ડેની ઉજવણી, નબીરાઓએ કર્યું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-13 10:43:15

રાજ્યમાં અસામાજીક તત્ત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બર્થ -ડે સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાની વચ્ચો વચ કેક કાપવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે 5 કાર ઉભી રાખી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે પોલીસે નવ લોકો સામે ગુન્હો નોંઘ્યો છે જેમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે બાકી લોકોની શોધખોળ ચાલું છે.  

9 શખસે રસ્તાની વચ્ચે ગાડીઓ પાર્ક કરી ધમાલ મચાવી હતી.

રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખી બર્થડે કર્યો સેલિબ્રેટ

રસ્તા પર બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એવા અનેક વીડિયો તેમજ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં રસ્તાની વચ્ચો વચ ગાડી પર કેક રાખી કાપવામાં આવતી હોય છે. આ ઘટનાને લઈ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થાય છે જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે આવી જ ઘટના રાજકોટ શહેરમાં બની છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે પાંચ ગાડી ઉભી રાખીને બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.    

ઘટનાને લઈ પોલીસનાં ધાડેધાડાં ઉતારાયાં હતાં.

વિશાલના અનેક વીડિયો થયા છે વાયરલ 

જાહેર રસ્તા પર કેક કાપવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી ગાડીને હટાવવાનું કહ્યું. જે બાદ મુખ્ય આરોપી વિશાલ અને તેના ભાઈ ઈશાને પોલીસ સાથે ઘર્ષણ કર્યું. વિશાલના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે જોતા લાગે છે કે વિશાલને પોલીસનો ડર જ નથી. વાયરલ થયેલા વીડિયોમાં વિશાલ દારૂ પીતો, કારમાં દારૂની બોટલ દેખાડતો અને બંદુક સાથેના વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યા છે. 

કારો રસ્તા વચ્ચે પાર્ક કરતા ટ્રાફિકમાં અડચણરૂપ બની હતી.

પકડાયેલા બે આરોપીને ઘટનાસ્થળે લાવી પૂછપરછ કરાઇ.


પોલીસે ઝડપી લીધા ચાર આરોપીઓને   

ત્યારે બર્થ ડે સેલિબ્રેશનને લઈ પોલીસે એક્શન લીધા છે. પોલીસ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સ્પ્રેથી જોખમી આગ લગાડી રસ્તા પર ડાન્સ કરતા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. તે ઉપરાંત પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ છે. આ ઘટનાને લઈ પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે જેમાંથી 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. અને અન્ય પાંચ આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી વિશાલ અને ઈશાન વિરુદ્ધ દારૂ,ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુન્હાઓ નોંધ્યા છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.