ટાટાએ બિસ્લેરીને રૂ.7000 કરોડમાં ખરીદી, રિલાયન્સ અને નેસ્લે પણ હતા હોડમાં


  • Published By :
  • Published Date : 2022-11-24 17:18:53

ભારતના સોફ્ટ ડ્રિંક જાયન્ટ્સ થમ્સઅપ, ગોલ્ડસ્પોટ અને લિમ્કાને કોકા-કોલાને વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણે બિસ્લેરી ઇન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ. 6000 થી 7000 કરોડની વચ્ચે વેચી છે. બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી કામકાજ ચાલુ રાખશે.  82 વર્ષીય રમેશ ચૌહાણ, છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બિસ્લેરીને તેના વિસ્તરણના આગલા લેવલ પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી.


રમેશ ચૌહાણ હતા માલિક


રમેશ ચૌહાણે કહ્યું છે કે તેમની પુત્રી જયંતિને બિઝનેસમાં રસ નથી. બોટલ્ડ વોટર બિઝનેસમાં દિગ્ગજ કંપની બિસ્લેરીને ખરીદવા માટે રિલાયન્સ રિટેલ અને નેસ્લે જેવી કંપનીઓએ પણ વાતચીત શરૂ કરી હતી. ટાટા સાથે પણ બિસ્લેરીની વાતચીત લગભગ 2 વર્ષથી ચાલી રહી છે.


બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ


થોડા સમય પહેલા, રમેશ ચૌહાણે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝા સાથે મીટિંગ કર્યા બાદ બિસ્લેરી બ્રાન્ડ વેચવાનો નિર્ણય કર્યો હતો.  બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ ગ્રાહકો સુધી પહોંચવાના એક કદમ તરીકે જોવામાં આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.