ટાટાએ બિસ્લેરીને રૂ.7000 કરોડમાં ખરીદી, રિલાયન્સ અને નેસ્લે પણ હતા હોડમાં


  • Published By :
  • Published Date : 2022-11-24 17:18:53

ભારતના સોફ્ટ ડ્રિંક જાયન્ટ્સ થમ્સઅપ, ગોલ્ડસ્પોટ અને લિમ્કાને કોકા-કોલાને વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણે બિસ્લેરી ઇન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ. 6000 થી 7000 કરોડની વચ્ચે વેચી છે. બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી કામકાજ ચાલુ રાખશે.  82 વર્ષીય રમેશ ચૌહાણ, છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બિસ્લેરીને તેના વિસ્તરણના આગલા લેવલ પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી.


રમેશ ચૌહાણ હતા માલિક


રમેશ ચૌહાણે કહ્યું છે કે તેમની પુત્રી જયંતિને બિઝનેસમાં રસ નથી. બોટલ્ડ વોટર બિઝનેસમાં દિગ્ગજ કંપની બિસ્લેરીને ખરીદવા માટે રિલાયન્સ રિટેલ અને નેસ્લે જેવી કંપનીઓએ પણ વાતચીત શરૂ કરી હતી. ટાટા સાથે પણ બિસ્લેરીની વાતચીત લગભગ 2 વર્ષથી ચાલી રહી છે.


બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ


થોડા સમય પહેલા, રમેશ ચૌહાણે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝા સાથે મીટિંગ કર્યા બાદ બિસ્લેરી બ્રાન્ડ વેચવાનો નિર્ણય કર્યો હતો.  બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ ગ્રાહકો સુધી પહોંચવાના એક કદમ તરીકે જોવામાં આવે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .