કૉંગ્રેસની પદયાત્રા, આપની તિરંગા યાત્રા, ભાજપની ગૌરવ યાત્રા... પ્રજા કોની યાત્રામાં જોડાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:34:35

મહેસાણાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધીની યાત્રા ભાજપે શરૂ કરી છે, 12થી 20 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલવાની છે, યાત્રાની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવી છે, આ પહેલા કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને નીકળ્યા છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં તિરંગ યાત્રા કાઢી ચુકી છે. પ્રશ્ન એ છે કે નેતાઓ ભલે ગમે તે કહેતા હોય પણ એમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને જોડવાનો હોય છે, કોઈ જ એકતા, ગૌરવ કે દેશદાઝના તાંતણાથી નહીં પણ વોટના તાંતણે લોકો બંધાય અને જીત મળે.


ત્રણેયમાંથી કોઈ જનતાનો ઉદ્ધાર કરી શકશે?

ત્રણમાંથી કૉંગ્રેસે વર્ષો સુધી આ દેશ પર શાસન કર્યુ છે, આટલા વર્ષોની સત્તા પછી કૉંગ્રેસને યાદ આવે છે કે દેશ ટુકડાંઓમાં વહેંચાયેલો છે અને એક કરવાની જરૂર છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સરકારમાં છે એમને હવે યાદ આવે છે કે ગુજરાતને ગૌરવ અપાવવાની જરૂર છે. આમ આદમી પાર્ટી પણ પોતાને રાષ્ટ્રની હિતેચ્છું બતાવવા માટે તિરંગા યાત્રા કરતી હોય છે પણ એમની પાસે પણ કોઈ ચોક્કસ વિચારધારાનો આધાર નથી, પંજાબમાં જાય તો ભગતસિંહની વાત ગુજરાતમાં આવે તો ગાંધીજીની વાત. આમ વિચારધારાનો આંચળો ઓઢીને નીકળેલી આ કોઈ જ યાત્રાઓ જનતાને પોતાના દરરોજ સતાવતા પ્રશ્નોના જવાબ નથી આપી શકવાની. 




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.