કૉંગ્રેસની પદયાત્રા, આપની તિરંગા યાત્રા, ભાજપની ગૌરવ યાત્રા... પ્રજા કોની યાત્રામાં જોડાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:34:35

મહેસાણાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધીની યાત્રા ભાજપે શરૂ કરી છે, 12થી 20 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલવાની છે, યાત્રાની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવી છે, આ પહેલા કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને નીકળ્યા છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં તિરંગ યાત્રા કાઢી ચુકી છે. પ્રશ્ન એ છે કે નેતાઓ ભલે ગમે તે કહેતા હોય પણ એમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને જોડવાનો હોય છે, કોઈ જ એકતા, ગૌરવ કે દેશદાઝના તાંતણાથી નહીં પણ વોટના તાંતણે લોકો બંધાય અને જીત મળે.


ત્રણેયમાંથી કોઈ જનતાનો ઉદ્ધાર કરી શકશે?

ત્રણમાંથી કૉંગ્રેસે વર્ષો સુધી આ દેશ પર શાસન કર્યુ છે, આટલા વર્ષોની સત્તા પછી કૉંગ્રેસને યાદ આવે છે કે દેશ ટુકડાંઓમાં વહેંચાયેલો છે અને એક કરવાની જરૂર છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સરકારમાં છે એમને હવે યાદ આવે છે કે ગુજરાતને ગૌરવ અપાવવાની જરૂર છે. આમ આદમી પાર્ટી પણ પોતાને રાષ્ટ્રની હિતેચ્છું બતાવવા માટે તિરંગા યાત્રા કરતી હોય છે પણ એમની પાસે પણ કોઈ ચોક્કસ વિચારધારાનો આધાર નથી, પંજાબમાં જાય તો ભગતસિંહની વાત ગુજરાતમાં આવે તો ગાંધીજીની વાત. આમ વિચારધારાનો આંચળો ઓઢીને નીકળેલી આ કોઈ જ યાત્રાઓ જનતાને પોતાના દરરોજ સતાવતા પ્રશ્નોના જવાબ નથી આપી શકવાની. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.