કૉંગ્રેસની પદયાત્રા, આપની તિરંગા યાત્રા, ભાજપની ગૌરવ યાત્રા... પ્રજા કોની યાત્રામાં જોડાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:34:35

મહેસાણાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધીની યાત્રા ભાજપે શરૂ કરી છે, 12થી 20 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલવાની છે, યાત્રાની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવી છે, આ પહેલા કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને નીકળ્યા છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં તિરંગ યાત્રા કાઢી ચુકી છે. પ્રશ્ન એ છે કે નેતાઓ ભલે ગમે તે કહેતા હોય પણ એમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને જોડવાનો હોય છે, કોઈ જ એકતા, ગૌરવ કે દેશદાઝના તાંતણાથી નહીં પણ વોટના તાંતણે લોકો બંધાય અને જીત મળે.


ત્રણેયમાંથી કોઈ જનતાનો ઉદ્ધાર કરી શકશે?

ત્રણમાંથી કૉંગ્રેસે વર્ષો સુધી આ દેશ પર શાસન કર્યુ છે, આટલા વર્ષોની સત્તા પછી કૉંગ્રેસને યાદ આવે છે કે દેશ ટુકડાંઓમાં વહેંચાયેલો છે અને એક કરવાની જરૂર છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સરકારમાં છે એમને હવે યાદ આવે છે કે ગુજરાતને ગૌરવ અપાવવાની જરૂર છે. આમ આદમી પાર્ટી પણ પોતાને રાષ્ટ્રની હિતેચ્છું બતાવવા માટે તિરંગા યાત્રા કરતી હોય છે પણ એમની પાસે પણ કોઈ ચોક્કસ વિચારધારાનો આધાર નથી, પંજાબમાં જાય તો ભગતસિંહની વાત ગુજરાતમાં આવે તો ગાંધીજીની વાત. આમ વિચારધારાનો આંચળો ઓઢીને નીકળેલી આ કોઈ જ યાત્રાઓ જનતાને પોતાના દરરોજ સતાવતા પ્રશ્નોના જવાબ નથી આપી શકવાની. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .