Rajasthanમાં થયેલા Paper Leak મુદ્દે BJP આક્રામક, પરંતુ Gujaratમાં થયેલા Paper Leak મુદ્દે મૌન! Yuvrajsinhએ અમિત શાહ પર પ્રહારો કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-21 10:58:09

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહી છે. ભાજપ માટે રાજસ્થાનમાં મહત્વનો મુદ્દો છે પેપરલીક. પેપર લીકને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્રામક દેખાઈ રહી છે. પેપર લીક મુદ્દે ગેહલોત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. 

રાજસ્થાનમાં થયેલા પેપરલીક મુદ્દે અમિત શાહે કરી વાત

પેપરલીક એક મોટો ગંભીર મુદ્દો છે. પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગુજરાતમાં પણ  અનેક વખત પેપરલીક થયા છે પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ. કાર્યવાહીના રૂપમાં શું પગલા લેવાયા તે આપણે જાણીએ. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પેપરલીક મુદ્દે અનેક વખત રેલીમાં મંત્રીઓ દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા ત્યારે તેમણે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં એક વર્ષમાં કેટલા પેપર લીક થया છે તેવી વાત કહી હતી. આ નિવેદન સામે આવતા વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. 


યુવરાજસિંહે ગણાવ્યા ગુજરાતમાં કેટલા પેપરલીક થયા? 

પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે કહ્યું કે રાજસ્થાનનું પોડાશી રાજ્ય ગુજરાત છે. જેમાં ભાજપની જ સરકાર છે, છતાંય ત્યાં પેપરલીક થાય છે. યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તો 24 પેપરલીકની ઘટના બની છે. ગુજરાતમાં થતા પેપરલીકની ઘટના તમારા માટે શા માટે મહત્વ ધરાવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં 2014થી કેટલા પેપરલીક થયા છે તેની માહિતી યુવરાજસિંહે આપી હતી.       



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.