Rajasthanમાં થયેલા Paper Leak મુદ્દે BJP આક્રામક, પરંતુ Gujaratમાં થયેલા Paper Leak મુદ્દે મૌન! Yuvrajsinhએ અમિત શાહ પર પ્રહારો કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-21 10:58:09

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહી છે. ભાજપ માટે રાજસ્થાનમાં મહત્વનો મુદ્દો છે પેપરલીક. પેપર લીકને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્રામક દેખાઈ રહી છે. પેપર લીક મુદ્દે ગેહલોત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. 

રાજસ્થાનમાં થયેલા પેપરલીક મુદ્દે અમિત શાહે કરી વાત

પેપરલીક એક મોટો ગંભીર મુદ્દો છે. પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગુજરાતમાં પણ  અનેક વખત પેપરલીક થયા છે પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ. કાર્યવાહીના રૂપમાં શું પગલા લેવાયા તે આપણે જાણીએ. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પેપરલીક મુદ્દે અનેક વખત રેલીમાં મંત્રીઓ દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા ત્યારે તેમણે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં એક વર્ષમાં કેટલા પેપર લીક થया છે તેવી વાત કહી હતી. આ નિવેદન સામે આવતા વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. 


યુવરાજસિંહે ગણાવ્યા ગુજરાતમાં કેટલા પેપરલીક થયા? 

પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે કહ્યું કે રાજસ્થાનનું પોડાશી રાજ્ય ગુજરાત છે. જેમાં ભાજપની જ સરકાર છે, છતાંય ત્યાં પેપરલીક થાય છે. યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તો 24 પેપરલીકની ઘટના બની છે. ગુજરાતમાં થતા પેપરલીકની ઘટના તમારા માટે શા માટે મહત્વ ધરાવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં 2014થી કેટલા પેપરલીક થયા છે તેની માહિતી યુવરાજસિંહે આપી હતી.       



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.