Rajasthanમાં થયેલા Paper Leak મુદ્દે BJP આક્રામક, પરંતુ Gujaratમાં થયેલા Paper Leak મુદ્દે મૌન! Yuvrajsinhએ અમિત શાહ પર પ્રહારો કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-21 10:58:09

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહી છે. ભાજપ માટે રાજસ્થાનમાં મહત્વનો મુદ્દો છે પેપરલીક. પેપર લીકને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્રામક દેખાઈ રહી છે. પેપર લીક મુદ્દે ગેહલોત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. 

રાજસ્થાનમાં થયેલા પેપરલીક મુદ્દે અમિત શાહે કરી વાત

પેપરલીક એક મોટો ગંભીર મુદ્દો છે. પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગુજરાતમાં પણ  અનેક વખત પેપરલીક થયા છે પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ. કાર્યવાહીના રૂપમાં શું પગલા લેવાયા તે આપણે જાણીએ. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પેપરલીક મુદ્દે અનેક વખત રેલીમાં મંત્રીઓ દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા ત્યારે તેમણે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં એક વર્ષમાં કેટલા પેપર લીક થया છે તેવી વાત કહી હતી. આ નિવેદન સામે આવતા વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. 


યુવરાજસિંહે ગણાવ્યા ગુજરાતમાં કેટલા પેપરલીક થયા? 

પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે કહ્યું કે રાજસ્થાનનું પોડાશી રાજ્ય ગુજરાત છે. જેમાં ભાજપની જ સરકાર છે, છતાંય ત્યાં પેપરલીક થાય છે. યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તો 24 પેપરલીકની ઘટના બની છે. ગુજરાતમાં થતા પેપરલીકની ઘટના તમારા માટે શા માટે મહત્વ ધરાવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં 2014થી કેટલા પેપરલીક થયા છે તેની માહિતી યુવરાજસિંહે આપી હતી.       



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.