ટ્વીટર પર જામ્યું ભાજપ અને આપનું યુદ્ધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 10:52:42



ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્ટેજ પર નેતાઓના ભાષણો આક્રામક બની રહ્યા છે. હવે ટ્વીટર પર પણ ભાજપ અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી. 


ટ્વીટર પર યજ્ઞેશ દવેએ શું ટ્વીટ કરી?

યજ્ઞેશ દવેએ બુધવારે વહેલી સવારે ટ્વીટ કરી હતી કે આરટીઆઈમાં માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના કેજરીવાલે હજુ સુધી દિલ્લીમાં લાગુ નથી કરી. આ યોજના અંદર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળે છે. ગુજરાતમાં મફત સારવારની વાત કરનાર કેજરીવાલે દિલ્લીમાં આ યોજના શરૂ જ નથી કરી. 


આ ટ્વીટનો રિપ્લાય આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે જવાબ આપ્યો હતો.


ડૉક્ટર કરણ બારોટે શું જવાબ આપ્યો?

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનામાં ઘણી બધી સેવા નથી આપવામાં આવતી. દિલ્લીમાં કોઈ પણ દર્દીને સારવાર માટે 5 લાખ રૂપિયાની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે અને 1 કરોડની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે. 


કરણ બારોટે યજ્ઞેશ દવેને આપી સહાલ 

ડૉક્ટર યજ્ઞેશ દવેને જવાબ આપતા કરણ બારોટે સલાહ આપી હતી કે એક એવી પણ આરટીઆઈ કરાવો જેમાં સરખામણી થઈ શકે કે દિલ્લી સરકારની કેટલી સારવાર ફ્રી છે અને આયુષ્યમાન ભારતમાં કેટલી પ્રકારની સારવાર ફ્રી છે તેની પણ આરટીઆઈ તમારે કરાવવી જોઈએ. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .