ટ્વીટર પર જામ્યું ભાજપ અને આપનું યુદ્ધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 10:52:42



ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્ટેજ પર નેતાઓના ભાષણો આક્રામક બની રહ્યા છે. હવે ટ્વીટર પર પણ ભાજપ અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી. 


ટ્વીટર પર યજ્ઞેશ દવેએ શું ટ્વીટ કરી?

યજ્ઞેશ દવેએ બુધવારે વહેલી સવારે ટ્વીટ કરી હતી કે આરટીઆઈમાં માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના કેજરીવાલે હજુ સુધી દિલ્લીમાં લાગુ નથી કરી. આ યોજના અંદર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળે છે. ગુજરાતમાં મફત સારવારની વાત કરનાર કેજરીવાલે દિલ્લીમાં આ યોજના શરૂ જ નથી કરી. 


આ ટ્વીટનો રિપ્લાય આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે જવાબ આપ્યો હતો.


ડૉક્ટર કરણ બારોટે શું જવાબ આપ્યો?

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનામાં ઘણી બધી સેવા નથી આપવામાં આવતી. દિલ્લીમાં કોઈ પણ દર્દીને સારવાર માટે 5 લાખ રૂપિયાની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે અને 1 કરોડની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે. 


કરણ બારોટે યજ્ઞેશ દવેને આપી સહાલ 

ડૉક્ટર યજ્ઞેશ દવેને જવાબ આપતા કરણ બારોટે સલાહ આપી હતી કે એક એવી પણ આરટીઆઈ કરાવો જેમાં સરખામણી થઈ શકે કે દિલ્લી સરકારની કેટલી સારવાર ફ્રી છે અને આયુષ્યમાન ભારતમાં કેટલી પ્રકારની સારવાર ફ્રી છે તેની પણ આરટીઆઈ તમારે કરાવવી જોઈએ. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .