ભાજપાએ યુપી, હરિયાણા અને તેલંગાણાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, વાંચો સંપૂર્ણ યાદી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:18:24

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ બેઠકો પર 3 નવેમ્બર, 2022ના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પંચે 3 ઓક્ટોબરે છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં એક-એક વિધાનસભા બેઠક પર મતદાન થશે જ્યારે બિહારની બે વિધાનસભા બેઠકો પર મતદાન થશે.


આ દિગ્ગજોને ટિકિટ મળી


ભાજપે શનિવારે હરિયાણામાં આદમપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પાર્ટીના નેતા કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યા બિશ્નોઈને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બીજી તરફ, કે રાજગોપાલ રેડ્ડીને તેલંગાણાના મુનુગોડેથી અને અમન ગિરીને ઉત્તર પ્રદેશના ગોલા ગોરખનાથથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


હરિયાણાના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઈ અને તેલંગાણાના રાજગોપાલ રેડ્ડી ભાજપમાં જોડાતા પહેલા અનુક્રમે આદમપુર અને મુનુગોડેના કોંગ્રેસના ધારાસભ્ય હતા. અમન ગિરી અરવિંદ ગિરીનો પુત્ર છે, જે ગોલા ગોકરનાથથી ભાજપના ધારાસભ્ય હતા અને ગયા મહિને તેમનું અવસાન થયું હતું, જેના કારણે મતવિસ્તારમાં પેટાચૂંટણી જરૂરી છે.


નોંધણીથી પરિણામ સુધીની તારીખોની જાહેરાત


નોમિનેશનની તારીખ 14 ઓક્ટોબર છે, જ્યારે નોમિનેશન પાછું ખેંચવાની તારીખ 17 ઓક્ટોબર છે. 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે 6 નવેમ્બરે પરિણામ આવશે.


ચૂંટણી પંચે પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકોન બનાવ્યા

જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીને ચૂંટણી પંચે પોતાનો નેશનલ આઇકોન બનાવ્યો છે. ECના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે આની જાહેરાત કરી હતી. 2014માં ચૂંટણી પંચે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો.


આ વિધાનસભા બેઠકો પર મતદાન થશે

મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, બિહારના મોકામા અને ગોપાલગંજ, હરિયાણાના આદમપુર, તેલંગાણાના મુનુગોડે, ઉત્તર પ્રદેશના ગોલા ગોકરાનાથ અને ઓડિશાના ધામનગર (SC)માં મતદાન થશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે