ભાજપે જાહેર કરી રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી, જુઓ કોના કોના નામોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-07-29 16:58:42

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની તેમજ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ પોતાના પ્લાનિંગ તેમજ પોતાની સ્ટેટરજીને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જે નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે  તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીની ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં INDIA Vs NDAનો મુકાબલો જોવા મળવાનો છે. ભાજપને પરાસ્ત કરવા માટે  વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે જેમના ગઠબંધનના નામને INDIA આપવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. 

આ રહ્યા નવા પદાધિકારીઓના નામ 

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નવી નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે બીએલ સંતોષની પસંદગી કરવામાં આવી છે, સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .