ભાજપે જાહેર કરી રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી, જુઓ કોના કોના નામોનો કરાયો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-07-29 16:58:42

આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની તેમજ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એમ પણ પોતાના પ્લાનિંગ તેમજ પોતાની સ્ટેટરજીને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. જે નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે  તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ જાહેર કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીની ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં INDIA Vs NDAનો મુકાબલો જોવા મળવાનો છે. ભાજપને પરાસ્ત કરવા માટે  વિપક્ષી પાર્ટીઓ એક થઈ છે જેમના ગઠબંધનના નામને INDIA આપવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. 

આ રહ્યા નવા પદાધિકારીઓના નામ 

ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવની નવી નિયુક્તિ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે બીએલ સંતોષની પસંદગી કરવામાં આવી છે, સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.