ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી, રાધનપુરથી અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ આ ઉમેદવારને મળી ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-15 09:40:37

ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તબક્કાવાર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિત અનેક નામોનો સમાવેશ થાય છે. 182માંથી ભાજપે 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

  

રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ન મળી ટિકિટ 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની ઘોષણ કરી રહ્યા છે. ત્યારે ભાજપે 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.  

Gujarat Election Alpesh Thakor Said Want To Contest From Radhanpur In Patan  | Gujarat Election: बीजेपी नेता अल्पेश ठाकोर के 'दिल की बात', बताया किस सीट  से लड़ना चाहते हैं चुनाव?

કુલ 178 ઉમેદવાર જાહેર કરાયા, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ચાર બેઠકના  ઉમેદવાર બાકી, નવી યાદીમાં બે મહિલા | BJP announced list of 12 more  candidates, Alpesh Thakor on ...

4 બેઠકો માટે ઉમેદવારના નામ નથી જાહેર કર્યા

ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ટિકિટ ફાળવી છે. રાધનપુર બેઠક માટે ભાજપે લવિંગજી ઠાકોરને પસંદ કર્યા છે. પાટણ માટે ડો. રાજુલબેન દેસાઈ, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, વટવાથી બાબુસિંહ જાદવ, મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.