ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી, રાધનપુરથી અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ આ ઉમેદવારને મળી ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-15 09:40:37

ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તબક્કાવાર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિત અનેક નામોનો સમાવેશ થાય છે. 182માંથી ભાજપે 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

  

રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ન મળી ટિકિટ 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની ઘોષણ કરી રહ્યા છે. ત્યારે ભાજપે 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.  

Gujarat Election Alpesh Thakor Said Want To Contest From Radhanpur In Patan  | Gujarat Election: बीजेपी नेता अल्पेश ठाकोर के 'दिल की बात', बताया किस सीट  से लड़ना चाहते हैं चुनाव?

કુલ 178 ઉમેદવાર જાહેર કરાયા, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ચાર બેઠકના  ઉમેદવાર બાકી, નવી યાદીમાં બે મહિલા | BJP announced list of 12 more  candidates, Alpesh Thakor on ...

4 બેઠકો માટે ઉમેદવારના નામ નથી જાહેર કર્યા

ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ટિકિટ ફાળવી છે. રાધનપુર બેઠક માટે ભાજપે લવિંગજી ઠાકોરને પસંદ કર્યા છે. પાટણ માટે ડો. રાજુલબેન દેસાઈ, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, વટવાથી બાબુસિંહ જાદવ, મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.