ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી, રાધનપુરથી અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ આ ઉમેદવારને મળી ટિકિટ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-15 09:40:37

ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તબક્કાવાર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિત અનેક નામોનો સમાવેશ થાય છે. 182માંથી ભાજપે 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

  

રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ન મળી ટિકિટ 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની ઘોષણ કરી રહ્યા છે. ત્યારે ભાજપે 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.  

Gujarat Election Alpesh Thakor Said Want To Contest From Radhanpur In Patan  | Gujarat Election: बीजेपी नेता अल्पेश ठाकोर के 'दिल की बात', बताया किस सीट  से लड़ना चाहते हैं चुनाव?

કુલ 178 ઉમેદવાર જાહેર કરાયા, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ચાર બેઠકના  ઉમેદવાર બાકી, નવી યાદીમાં બે મહિલા | BJP announced list of 12 more  candidates, Alpesh Thakor on ...

4 બેઠકો માટે ઉમેદવારના નામ નથી જાહેર કર્યા

ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ટિકિટ ફાળવી છે. રાધનપુર બેઠક માટે ભાજપે લવિંગજી ઠાકોરને પસંદ કર્યા છે. પાટણ માટે ડો. રાજુલબેન દેસાઈ, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, વટવાથી બાબુસિંહ જાદવ, મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.