સત્તાવિરોધી લોકજુવાળથી ચિંતિંત ભાજપ વર્તમાન 50 ટકાથી વધુ MLAનું પત્તુ કાપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 15:46:54

ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ શાસક પક્ષ  ભાજપની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સમાજનો લગભગ દરેક વર્ગ સરકાર સામે આવી ગયો છે. કર્મચારી સંગઠનો, ખેડૂતો, માલધારીઓ અને બેરોજગાર યુવાનો ખુલ્લેઆમ સરકારના વિરોધમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જે ભાજપના 27 વર્ષના શાસનથી ગળે આવી ગયા છે. આ લોકો પ્રગટપણે વિરોધ નથી કરતો પણ આ શાંત મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપની સામે હશે. ભાજપના ટોચના અને અનુભવી નેતાઓ પણ સત્તાવિરોધી લોકજુવાળને જાણી ગયા છે.


મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકો 


રાજ્યમાં આજે સામાન્ય લોકોનો મોટ પ્રશ્ન રોટી,કપડા અને મકાન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણ મોંઘુદાટ થયું છે, શિક્ષણનું ખાનગીકરણ થવાથી સામાન્ય માણસ માટે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કારમી મોઘવારીએ લોકોની ચિંતા વધારી છે, નોકરીયાત વર્ગનો પગાર વધતો નથી પણ મોંઘવારી બેકાબુ બની છે. આ સ્થિતીમાં લોકોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થયો છે. ગુજરાત આમ તો ઔદ્યોગિક રાજ્ય છે પણ હાલની સ્થિતી એવી છે કે ભણેલા યુવાનોને પણ નોકરી મળતી નથી આ ડિગ્રીધારી યુવાનોનો રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ગાંધીનગરમાં થતાં ધરણામાં સ્પષ્ટપણે જોવા મળે છે.


50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે


ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી વ્યાપક પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બન્સી જોવા મળી રહી છે. આ સ્થિતીને ખાળવા માટે 50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવું માનવામાં આવે છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ નવા અને યુવાન નેતૃત્વને તક આપવા માંગે છે. ભાજપ આવું કરીને 27 વર્ષથી સત્તામાં ટકી રહી છે. કોરોનાની બીજી વેવ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં.  રૂપાણીના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપને 99 બેઠક જ મળી હતી.


આ વખતનો સરકાર વિરોધી લોકજુવાળ જોતા ભાજપ માટે ફરીથી સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ જણાય છે. તેમાં પણ કોંગ્રેસની સાથે-સાથે ભાજપને હવે બીજા મોરચે આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એટલા માટે જ અવારનવાર ગુજરાતની મુલાકાતં આવી રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે