સત્તાવિરોધી લોકજુવાળથી ચિંતિંત ભાજપ વર્તમાન 50 ટકાથી વધુ MLAનું પત્તુ કાપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 15:46:54

ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ શાસક પક્ષ  ભાજપની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સમાજનો લગભગ દરેક વર્ગ સરકાર સામે આવી ગયો છે. કર્મચારી સંગઠનો, ખેડૂતો, માલધારીઓ અને બેરોજગાર યુવાનો ખુલ્લેઆમ સરકારના વિરોધમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જે ભાજપના 27 વર્ષના શાસનથી ગળે આવી ગયા છે. આ લોકો પ્રગટપણે વિરોધ નથી કરતો પણ આ શાંત મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપની સામે હશે. ભાજપના ટોચના અને અનુભવી નેતાઓ પણ સત્તાવિરોધી લોકજુવાળને જાણી ગયા છે.


મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકો 


રાજ્યમાં આજે સામાન્ય લોકોનો મોટ પ્રશ્ન રોટી,કપડા અને મકાન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણ મોંઘુદાટ થયું છે, શિક્ષણનું ખાનગીકરણ થવાથી સામાન્ય માણસ માટે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કારમી મોઘવારીએ લોકોની ચિંતા વધારી છે, નોકરીયાત વર્ગનો પગાર વધતો નથી પણ મોંઘવારી બેકાબુ બની છે. આ સ્થિતીમાં લોકોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થયો છે. ગુજરાત આમ તો ઔદ્યોગિક રાજ્ય છે પણ હાલની સ્થિતી એવી છે કે ભણેલા યુવાનોને પણ નોકરી મળતી નથી આ ડિગ્રીધારી યુવાનોનો રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ગાંધીનગરમાં થતાં ધરણામાં સ્પષ્ટપણે જોવા મળે છે.


50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે


ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી વ્યાપક પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બન્સી જોવા મળી રહી છે. આ સ્થિતીને ખાળવા માટે 50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવું માનવામાં આવે છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ નવા અને યુવાન નેતૃત્વને તક આપવા માંગે છે. ભાજપ આવું કરીને 27 વર્ષથી સત્તામાં ટકી રહી છે. કોરોનાની બીજી વેવ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં.  રૂપાણીના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપને 99 બેઠક જ મળી હતી.


આ વખતનો સરકાર વિરોધી લોકજુવાળ જોતા ભાજપ માટે ફરીથી સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ જણાય છે. તેમાં પણ કોંગ્રેસની સાથે-સાથે ભાજપને હવે બીજા મોરચે આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એટલા માટે જ અવારનવાર ગુજરાતની મુલાકાતં આવી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.