સત્તાવિરોધી લોકજુવાળથી ચિંતિંત ભાજપ વર્તમાન 50 ટકાથી વધુ MLAનું પત્તુ કાપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 15:46:54

ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ શાસક પક્ષ  ભાજપની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સમાજનો લગભગ દરેક વર્ગ સરકાર સામે આવી ગયો છે. કર્મચારી સંગઠનો, ખેડૂતો, માલધારીઓ અને બેરોજગાર યુવાનો ખુલ્લેઆમ સરકારના વિરોધમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જે ભાજપના 27 વર્ષના શાસનથી ગળે આવી ગયા છે. આ લોકો પ્રગટપણે વિરોધ નથી કરતો પણ આ શાંત મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે ભાજપની સામે હશે. ભાજપના ટોચના અને અનુભવી નેતાઓ પણ સત્તાવિરોધી લોકજુવાળને જાણી ગયા છે.


મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત લોકો 


રાજ્યમાં આજે સામાન્ય લોકોનો મોટ પ્રશ્ન રોટી,કપડા અને મકાન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં શિક્ષણ મોંઘુદાટ થયું છે, શિક્ષણનું ખાનગીકરણ થવાથી સામાન્ય માણસ માટે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કારમી મોઘવારીએ લોકોની ચિંતા વધારી છે, નોકરીયાત વર્ગનો પગાર વધતો નથી પણ મોંઘવારી બેકાબુ બની છે. આ સ્થિતીમાં લોકોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થયો છે. ગુજરાત આમ તો ઔદ્યોગિક રાજ્ય છે પણ હાલની સ્થિતી એવી છે કે ભણેલા યુવાનોને પણ નોકરી મળતી નથી આ ડિગ્રીધારી યુવાનોનો રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ ગાંધીનગરમાં થતાં ધરણામાં સ્પષ્ટપણે જોવા મળે છે.


50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે


ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી વ્યાપક પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બન્સી જોવા મળી રહી છે. આ સ્થિતીને ખાળવા માટે 50 ટકા કરતાં વધુ ધારાસભ્યોની ટિકિટ કપાશે તેવું માનવામાં આવે છે. આ વિધાનસભા ચૂંટણી ભાજપ નવા અને યુવાન નેતૃત્વને તક આપવા માંગે છે. ભાજપ આવું કરીને 27 વર્ષથી સત્તામાં ટકી રહી છે. કોરોનાની બીજી વેવ પછી ગુજરાત સરકારનો વ્યાપક વિરોધ થતાં નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનું મંત્રીમંડળ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યાં હતાં.  રૂપાણીના સ્થાને આવેલી નવી સરકારથી પણ જનતા એટલી રાજી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 2017માં ભાજપને 99 બેઠક જ મળી હતી.


આ વખતનો સરકાર વિરોધી લોકજુવાળ જોતા ભાજપ માટે ફરીથી સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ જણાય છે. તેમાં પણ કોંગ્રેસની સાથે-સાથે ભાજપને હવે બીજા મોરચે આમ આદમી પાર્ટી તરફથી પણ પડકાર મળી રહ્યો છે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એટલા માટે જ અવારનવાર ગુજરાતની મુલાકાતં આવી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.