ગમે ત્યારે ભાજપ જાહેર કરી શકે છે બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ


  • Published By :
  • Published Date : 2022-11-10 16:50:41

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે પણ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં બાકી રહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ બેઠકો માટે જાહેર નથી કરાયા ઉમેદવાર 

મહામંથન કર્યા બાદ ભાજપે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. 182માંથી ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે હજી 22 સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. 160 બેઠક માટે અનેક મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે અનેક ઉમેદવારોની ટિકિટ કપાઈ છે જ્યારે અનેક ઉમેદવારોને રિપિટ કરાયા છે. જે 22 સીટ માટે ઉમેદવારોના નામોની જાહેરાત થવાની બાકી છે તેની પર સૌની નજર છે.

રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.  ઉપરાંત કલોલ, વટવા, ધોરાજી, જામકંડોરણા, કુતિયાણા, ભાવનગર પૂર્વે, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. આમાંથી ઘણી બેઠકો એવી છે જ્યાંથી કોંગ્રેસને અલવિદા કહેનાર નેતાઓ છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.