ગમે ત્યારે ભાજપ જાહેર કરી શકે છે બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ


  • Published By :
  • Published Date : 2022-11-10 16:50:41

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે પણ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં બાકી રહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ બેઠકો માટે જાહેર નથી કરાયા ઉમેદવાર 

મહામંથન કર્યા બાદ ભાજપે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. 182માંથી ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે હજી 22 સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. 160 બેઠક માટે અનેક મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે અનેક ઉમેદવારોની ટિકિટ કપાઈ છે જ્યારે અનેક ઉમેદવારોને રિપિટ કરાયા છે. જે 22 સીટ માટે ઉમેદવારોના નામોની જાહેરાત થવાની બાકી છે તેની પર સૌની નજર છે.

રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.  ઉપરાંત કલોલ, વટવા, ધોરાજી, જામકંડોરણા, કુતિયાણા, ભાવનગર પૂર્વે, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. આમાંથી ઘણી બેઠકો એવી છે જ્યાંથી કોંગ્રેસને અલવિદા કહેનાર નેતાઓ છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.