Amreliમાં BJP ઉમેદવાર Bharat Sutariyaએ વિરોધીઓને જવાબ આપ્યો! નિશાન સાધતા કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 16:24:47

ભાજપ અત્યારે એક વિવાદમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે તો બીજો નવો વિવાદ એમની સામે ઊભો હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ રાજકોટમાં ઉમેદવાર બદલવાના ડખા ચાલે છે તો બીજી તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોથી નેતાઓ અને આગેવાનો નારાજ છે. અમરેલીમાં તો બે જુથ આમને સામને આવી ગયા હતા. પણ ભરત સુતરીયાએ પડકાર કર્યો કે “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે” 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ 

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.. એક બેઠક પર ભડકેલો વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો જ એક વિવાદ શરૂ થઈ જાય છે... અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો અને હવે અમરેલીના ઉમેદવારે એક નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. 



અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આપ્યું નિવેદન.... 

નિવેદન આપતા તેમણે કહ્યું કહ્યું કે કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. મહત્વનું છે કે ગઈકાલે જ સમાચાર આવ્યા કે અમરેલીમાં ઉમેદવારને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. આ નિવેદન આપ્યું એની પહેલા અમરેલીમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. અમરેલીના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટરો અનેક જગ્યાઓ પર લાગ્યા હતા. પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ" હવે આ વિરોધના વંટોળથી ભાજપને લોકસભામાં મોટું નુકશાન થાય છે કે પછી હાઇકમાંડ ડેમેજ કંટ્રોલ કરી લે છે તે જોવાનું રહ્યું...




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.