Amreliમાં BJP ઉમેદવાર Bharat Sutariyaએ વિરોધીઓને જવાબ આપ્યો! નિશાન સાધતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-01 16:24:47

ભાજપ અત્યારે એક વિવાદમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે તો બીજો નવો વિવાદ એમની સામે ઊભો હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ રાજકોટમાં ઉમેદવાર બદલવાના ડખા ચાલે છે તો બીજી તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોથી નેતાઓ અને આગેવાનો નારાજ છે. અમરેલીમાં તો બે જુથ આમને સામને આવી ગયા હતા. પણ ભરત સુતરીયાએ પડકાર કર્યો કે “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે” 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ 

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.. એક બેઠક પર ભડકેલો વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો જ એક વિવાદ શરૂ થઈ જાય છે... અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો અને હવે અમરેલીના ઉમેદવારે એક નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. 



અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આપ્યું નિવેદન.... 

નિવેદન આપતા તેમણે કહ્યું કહ્યું કે કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. મહત્વનું છે કે ગઈકાલે જ સમાચાર આવ્યા કે અમરેલીમાં ઉમેદવારને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. આ નિવેદન આપ્યું એની પહેલા અમરેલીમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. અમરેલીના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટરો અનેક જગ્યાઓ પર લાગ્યા હતા. પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ" હવે આ વિરોધના વંટોળથી ભાજપને લોકસભામાં મોટું નુકશાન થાય છે કે પછી હાઇકમાંડ ડેમેજ કંટ્રોલ કરી લે છે તે જોવાનું રહ્યું...




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.