Amreliમાં BJP ઉમેદવાર Bharat Sutariyaએ વિરોધીઓને જવાબ આપ્યો! નિશાન સાધતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-01 16:24:47

ભાજપ અત્યારે એક વિવાદમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે તો બીજો નવો વિવાદ એમની સામે ઊભો હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ રાજકોટમાં ઉમેદવાર બદલવાના ડખા ચાલે છે તો બીજી તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોથી નેતાઓ અને આગેવાનો નારાજ છે. અમરેલીમાં તો બે જુથ આમને સામને આવી ગયા હતા. પણ ભરત સુતરીયાએ પડકાર કર્યો કે “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે” 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ 

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.. એક બેઠક પર ભડકેલો વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો જ એક વિવાદ શરૂ થઈ જાય છે... અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો અને હવે અમરેલીના ઉમેદવારે એક નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. 



અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આપ્યું નિવેદન.... 

નિવેદન આપતા તેમણે કહ્યું કહ્યું કે કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. મહત્વનું છે કે ગઈકાલે જ સમાચાર આવ્યા કે અમરેલીમાં ઉમેદવારને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. આ નિવેદન આપ્યું એની પહેલા અમરેલીમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. અમરેલીના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટરો અનેક જગ્યાઓ પર લાગ્યા હતા. પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ" હવે આ વિરોધના વંટોળથી ભાજપને લોકસભામાં મોટું નુકશાન થાય છે કે પછી હાઇકમાંડ ડેમેજ કંટ્રોલ કરી લે છે તે જોવાનું રહ્યું...




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે