Amreliમાં BJP ઉમેદવાર Bharat Sutariyaએ વિરોધીઓને જવાબ આપ્યો! નિશાન સાધતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-01 16:24:47

ભાજપ અત્યારે એક વિવાદમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે તો બીજો નવો વિવાદ એમની સામે ઊભો હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ રાજકોટમાં ઉમેદવાર બદલવાના ડખા ચાલે છે તો બીજી તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોથી નેતાઓ અને આગેવાનો નારાજ છે. અમરેલીમાં તો બે જુથ આમને સામને આવી ગયા હતા. પણ ભરત સુતરીયાએ પડકાર કર્યો કે “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે” 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ 

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.. એક બેઠક પર ભડકેલો વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો જ એક વિવાદ શરૂ થઈ જાય છે... અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો અને હવે અમરેલીના ઉમેદવારે એક નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. 



અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આપ્યું નિવેદન.... 

નિવેદન આપતા તેમણે કહ્યું કહ્યું કે કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. મહત્વનું છે કે ગઈકાલે જ સમાચાર આવ્યા કે અમરેલીમાં ઉમેદવારને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. આ નિવેદન આપ્યું એની પહેલા અમરેલીમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. અમરેલીના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટરો અનેક જગ્યાઓ પર લાગ્યા હતા. પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ" હવે આ વિરોધના વંટોળથી ભાજપને લોકસભામાં મોટું નુકશાન થાય છે કે પછી હાઇકમાંડ ડેમેજ કંટ્રોલ કરી લે છે તે જોવાનું રહ્યું...




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.