Rajkot Loksabha Seatના BJP ઉમેદવાર પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેતા વિવાદ વચ્ચે વાયરલ થઈ આ તસવીર જેમાં....


  • Published By :
  • Published Date : 2024-04-15 19:04:44

રાજકોટ બેઠક પર જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગે છે... એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મને લઈ મક્કમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલાનો ફોટો છે.. પોસ્ટરમાં રહેલા પરષોત્તમ રૂપાલાના ફોટો પર કલર મારી દેવામાં આવ્યો છે અને પોસ્ટરને ખરાબ કરી દેવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે જે પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે મોરબીનો છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારના વિરોધમાં અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. પહેલા આ વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત દેખાતો હતો પરંતુ ધીરે ધીરે આ વિરોધ ભાજપ સામે થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એક ફોટો મોરબીથી સામે આવ્યો છે જેમાં પરષોત્તમ રૂપાલાના ફોટાને બગાડવામાં આવ્યો છે.. 


ફોટો થઈ રહ્યો છે વાયરલ જેમાં.... 

ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને પ્રવેશ ના કરવો તેવી વાતો પોસ્ટરો પર લખવામાં આવી હતી... આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા છે.. વાયરલ થયેલા ફોટોમાં પરષોત્તમ રૂપાલાના ચહેરા પર કલર મારવામાં આવ્યો છે...! મહત્વનું છે કે અનેક પોસ્ટરો સામે આવ્યા છે જેમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો છે..,... 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે