Rajkot Loksabha Seatના BJP ઉમેદવાર પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેતા વિવાદ વચ્ચે વાયરલ થઈ આ તસવીર જેમાં....


  • Published By :
  • Published Date : 2024-04-15 19:04:44

રાજકોટ બેઠક પર જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગે છે... એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મને લઈ મક્કમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલાનો ફોટો છે.. પોસ્ટરમાં રહેલા પરષોત્તમ રૂપાલાના ફોટો પર કલર મારી દેવામાં આવ્યો છે અને પોસ્ટરને ખરાબ કરી દેવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે જે પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે મોરબીનો છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારના વિરોધમાં અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. પહેલા આ વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત દેખાતો હતો પરંતુ ધીરે ધીરે આ વિરોધ ભાજપ સામે થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એક ફોટો મોરબીથી સામે આવ્યો છે જેમાં પરષોત્તમ રૂપાલાના ફોટાને બગાડવામાં આવ્યો છે.. 


ફોટો થઈ રહ્યો છે વાયરલ જેમાં.... 

ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને પ્રવેશ ના કરવો તેવી વાતો પોસ્ટરો પર લખવામાં આવી હતી... આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા છે.. વાયરલ થયેલા ફોટોમાં પરષોત્તમ રૂપાલાના ચહેરા પર કલર મારવામાં આવ્યો છે...! મહત્વનું છે કે અનેક પોસ્ટરો સામે આવ્યા છે જેમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો છે..,... 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે