Rajkot Loksabha Seatના BJP ઉમેદવાર પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેતા વિવાદ વચ્ચે વાયરલ થઈ આ તસવીર જેમાં....


  • Published By :
  • Published Date : 2024-04-15 19:04:44

રાજકોટ બેઠક પર જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગે છે... એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મને લઈ મક્કમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલાનો ફોટો છે.. પોસ્ટરમાં રહેલા પરષોત્તમ રૂપાલાના ફોટો પર કલર મારી દેવામાં આવ્યો છે અને પોસ્ટરને ખરાબ કરી દેવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે જે પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે મોરબીનો છે. 


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારના વિરોધમાં અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. પહેલા આ વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત દેખાતો હતો પરંતુ ધીરે ધીરે આ વિરોધ ભાજપ સામે થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એક ફોટો મોરબીથી સામે આવ્યો છે જેમાં પરષોત્તમ રૂપાલાના ફોટાને બગાડવામાં આવ્યો છે.. 


ફોટો થઈ રહ્યો છે વાયરલ જેમાં.... 

ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને પ્રવેશ ના કરવો તેવી વાતો પોસ્ટરો પર લખવામાં આવી હતી... આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા છે.. વાયરલ થયેલા ફોટોમાં પરષોત્તમ રૂપાલાના ચહેરા પર કલર મારવામાં આવ્યો છે...! મહત્વનું છે કે અનેક પોસ્ટરો સામે આવ્યા છે જેમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો છે..,... 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.