Rajkot Loksabha Seat પર ભાજપના ઉમેદવાર Parshottam Rupalaની જીત, Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-06-04 17:58:53

લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે.. એક્ઝિટ પોલ મુજબ ભારતમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી હતી. એનડીએને સારા વોટ મળવાના હતા પરંતુ હમણા જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ભાજપ માટે બહુમતીનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગુજરાતના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે... 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક સૌથી ચર્ચામાં રહી..    

પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે કર્યો હતો વિરોધ 

ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ખુબ ચર્ચામાં રહી.. એવું કહીએ કે આ બેઠકની આગળ પાછળ જ ચૂંટણી ચાલી તો પણ અતિશયોક્તિ નથી..ક્ષત્રિય સમાજને લઈ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ પણ ખૂબ થયો. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, પરંતુ પોતાની વાત પર ભાજપ મક્કમ દેખાયો. ઉમેદવાર ના બદલ્યા, વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ચૂંટણી લડી અને સારી લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત પણ હાંસલ કરી..



રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાની જીત

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી હતી. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા બંને નેતા અમરેલીના હતા પરંતુ બંને નેતાઓને પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક પર ઉતાર્યા ઉમેદવાર તરીકે.. પરેશ ધાનાણીએ અનેક વખત કવિતા શેર કરી છે. કવિતા ટ્રેન્ડ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધની અસર રાજકોટ લોકસભા બેઠકના પરિણામો પર દેખાઈ શકે છે પરંતુ તેની અસર ના દેખાઈ.. ખુબ સારા લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત હાંસલ કરી.. પરષોત્તમ રૂપાલા જીત્યા તે બાદ પરેશ ધાનાણી તેમને મળ્યા હતા. પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી હતી..      




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.