Rajkot Loksabha Seat પર ભાજપના ઉમેદવાર Parshottam Rupalaની જીત, Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-06-04 17:58:53

લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે.. એક્ઝિટ પોલ મુજબ ભારતમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી હતી. એનડીએને સારા વોટ મળવાના હતા પરંતુ હમણા જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ભાજપ માટે બહુમતીનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગુજરાતના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે... 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક સૌથી ચર્ચામાં રહી..    

પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે કર્યો હતો વિરોધ 

ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ખુબ ચર્ચામાં રહી.. એવું કહીએ કે આ બેઠકની આગળ પાછળ જ ચૂંટણી ચાલી તો પણ અતિશયોક્તિ નથી..ક્ષત્રિય સમાજને લઈ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ પણ ખૂબ થયો. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, પરંતુ પોતાની વાત પર ભાજપ મક્કમ દેખાયો. ઉમેદવાર ના બદલ્યા, વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ચૂંટણી લડી અને સારી લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત પણ હાંસલ કરી..



રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાની જીત

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી હતી. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા બંને નેતા અમરેલીના હતા પરંતુ બંને નેતાઓને પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક પર ઉતાર્યા ઉમેદવાર તરીકે.. પરેશ ધાનાણીએ અનેક વખત કવિતા શેર કરી છે. કવિતા ટ્રેન્ડ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધની અસર રાજકોટ લોકસભા બેઠકના પરિણામો પર દેખાઈ શકે છે પરંતુ તેની અસર ના દેખાઈ.. ખુબ સારા લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત હાંસલ કરી.. પરષોત્તમ રૂપાલા જીત્યા તે બાદ પરેશ ધાનાણી તેમને મળ્યા હતા. પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી હતી..      




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે