Rajkot Loksabha Seat પર ભાજપના ઉમેદવાર Parshottam Rupalaની જીત, Paresh Dhananiએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-06-04 17:58:53

લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે.. એક્ઝિટ પોલ મુજબ ભારતમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી હતી. એનડીએને સારા વોટ મળવાના હતા પરંતુ હમણા જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ભાજપ માટે બહુમતીનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગુજરાતના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે... 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક સૌથી ચર્ચામાં રહી..    

પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે કર્યો હતો વિરોધ 

ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ખુબ ચર્ચામાં રહી.. એવું કહીએ કે આ બેઠકની આગળ પાછળ જ ચૂંટણી ચાલી તો પણ અતિશયોક્તિ નથી..ક્ષત્રિય સમાજને લઈ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ પણ ખૂબ થયો. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, પરંતુ પોતાની વાત પર ભાજપ મક્કમ દેખાયો. ઉમેદવાર ના બદલ્યા, વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ચૂંટણી લડી અને સારી લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત પણ હાંસલ કરી..



રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાની જીત

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી હતી. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા બંને નેતા અમરેલીના હતા પરંતુ બંને નેતાઓને પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક પર ઉતાર્યા ઉમેદવાર તરીકે.. પરેશ ધાનાણીએ અનેક વખત કવિતા શેર કરી છે. કવિતા ટ્રેન્ડ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધની અસર રાજકોટ લોકસભા બેઠકના પરિણામો પર દેખાઈ શકે છે પરંતુ તેની અસર ના દેખાઈ.. ખુબ સારા લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત હાંસલ કરી.. પરષોત્તમ રૂપાલા જીત્યા તે બાદ પરેશ ધાનાણી તેમને મળ્યા હતા. પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી હતી..      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે