ગુજરાતમાં રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર, 20મીએ રાજ્યસભામાં થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2023-07-17 14:04:04

રાજ્યસભાની ચૂંટણી માટે  ભાજપના ત્રણેય ઉમેદવારો અંતે બિનહરીફ જાહેર થયા છે. ભાજપે વર્તમાન વિદેશમંત્રી ડો. એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ, અને કેસરીદેવ સિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમની સામે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોઈ પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. આ જ કારણે ભાજપના ત્રણેય ઉમેદવારોની બિનહરિફ જીત પાક્કી મનાતી હતી. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હોવાથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે કોઈ જ અન્ય ઉમેદવાર ના હોવાથી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા, આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જો કે, આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે.


ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા


ગુજરાતમાંથી રાજયસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર થતા પાર્ટીમાં આનંદનો માહોલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની 156 સીટો છે, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપના ઉમેદવારોની જીત નક્કી હતી. આ કારણે વિપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીઓ એક પણ ઉમેદવાર મેદાને ઉતાર્યો નહોતો. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.


રાજ્ય સભાના ચોમાસુ સત્રમાં શપથવિધિ  


ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ 18 ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.


ત્રણ ડમી ઉમેદવારો પણ મેદાને હતા


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 10 બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે 17મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જો કે, રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રહેવાની સાથે જ, તે જ પક્ષના ડમી ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય ઠરતા હોય છે. 


આ છે રાજ્યસભા ચૂંટણીનું પુરૂ શિડ્યુલ


ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.