ગુજરાતમાં રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર, 20મીએ રાજ્યસભામાં થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2023-07-17 14:04:04

રાજ્યસભાની ચૂંટણી માટે  ભાજપના ત્રણેય ઉમેદવારો અંતે બિનહરીફ જાહેર થયા છે. ભાજપે વર્તમાન વિદેશમંત્રી ડો. એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ, અને કેસરીદેવ સિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમની સામે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોઈ પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. આ જ કારણે ભાજપના ત્રણેય ઉમેદવારોની બિનહરિફ જીત પાક્કી મનાતી હતી. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હોવાથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે કોઈ જ અન્ય ઉમેદવાર ના હોવાથી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા, આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જો કે, આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે.


ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા


ગુજરાતમાંથી રાજયસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર થતા પાર્ટીમાં આનંદનો માહોલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની 156 સીટો છે, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપના ઉમેદવારોની જીત નક્કી હતી. આ કારણે વિપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીઓ એક પણ ઉમેદવાર મેદાને ઉતાર્યો નહોતો. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.


રાજ્ય સભાના ચોમાસુ સત્રમાં શપથવિધિ  


ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ 18 ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.


ત્રણ ડમી ઉમેદવારો પણ મેદાને હતા


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 10 બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે 17મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જો કે, રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રહેવાની સાથે જ, તે જ પક્ષના ડમી ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય ઠરતા હોય છે. 


આ છે રાજ્યસભા ચૂંટણીનું પુરૂ શિડ્યુલ


ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.