કોંગ્રેસ યુક્ત ભાજપ: ગુજરાતમાં ભાજપ સત્તા કાજે ક્યાં સુધી 'કોંગ્રેસ' પર નિર્ભર રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:11:50

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના રાજ્યમાં આટાફેરા વધી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ જોવા મળતો હતો. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલી ગયા છે. ભાજપ માટે ચૂંટણી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બન્યું છે.  અત્યાર સુધી ભાજપ વિધાનસભામાં તેની બહુમતી ટકાવી રાખવા માટે સામ, દામ, દંડ, ભંદની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડતી રહી છે. હર્ષદ રિબડીયા તેનું તાજુ ઉદાહરણ છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યા સુધી કોંગ્રેસના આયાતી ધારાસભ્યો પર આધાર રાખશે. ભાજપમાં સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારથી આંતરિક કલહ વધી ગયો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના પ્રધાનો ચૂંટણી પ્રચારથી સંપુર્ણપણે અળગા થઈ ગયા છે. રૂપાણી પણ કોઈ સભા કે પ્રચાર રેલીમાં જોવા મળતા નથી. આમ સમગ્ર દ્રષ્ટીએ જોતા આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.


રૂપાણી કેબિનેટના મંત્રીઓનું ઉદાસીન વલણ


ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ મંત્રીઓને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. હવે રસપ્રદ બાબત એ છે કે રૂપાણી કેબિનેટના ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે તેમ છે. આ ચૂંટણીમાં ભાજપ નો રિપિટ થિયરીના નામે કોઈ પૂર્વ મંત્રીઓને ટિકિટ આપશે નહીં અને  આ બાબતથી વાકેફ કોઈ પૂર્વમંત્રી આ વખતની ચૂંટણીમાં અંગત રસ લઈ રહ્યો નથી.  નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલ સહિતના ટોચના સ્થાનિક નેતાઓમાં ચૂંટણી પ્રચારને લઈ ઉદાસીન વલણ, સ્પષ્ટ જોવા મળી શકે છે.


કોંગ્રેસના ધારાસભ્યો ભાજપનો આધાર


રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસનમાં ભલે હોય પણ તેનો વોટ શેર સતત ઘટી રહ્યો છે, ગઈ કાલે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા છે. વર્તમાન ભાજપ ખરેખર તો કોંગ્રેસયુક્ત ભાજપ છે. કારણ કે હાલના મોટાભાગના મંત્રીઓ અને ધારાસભ્યોનું મુળ ગોત્ર તો કોંગ્રેસી છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યાં સુધી આયાતી ઉમેદવારો પર આધારીત રહેશે. ભાજપના આ વલણથી સ્થાનિક કાર્યકરમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.  


આમ આદમી પાર્ટી કોના મત તોડશે?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય લડાઈ છે. હવે જોવાનું એ છે કે આપ ના પ્રવેશથી રાજ્યમાં કઈ પાર્ટીને નુકસાન થશે. કોંગ્રેસ અને ભાજપ કમિટેડ વોટ બેંક ધરાવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગ ભાજપની કોર વોંટ બેંક છે. તો કોંગ્રેસના વફાદાર મતદારો મુસ્લિમો, આદીવાસીઓ અને દલિતો છે. હવે આમ આદમી પાર્ટી કઈ પાર્ટીના મતદારો તોડશે તે જોવાની છે. રાજકીય પંડિતોના મતે આમ આદમી પાર્ટીએ જે રીતે મધ્યમ વર્ગને આકર્ષવા આકર્ષક ગરન્ટી યોજનાની જાહેરાત કરી છે તે જોતા શહેરો અને ગામડાનો મધ્યમ વર્ગ આપ  તરફ ખેંચાયો છે. આપ જો ભાજપના મતદારો તોડશે તો આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ છે. કોંગ્રેસને એટલું નુકસાન થતું જોવા મળતું નથી કારણ કે તેના મતદારો દરેક પરિસ્થિતીમાં પાર્ટીને વફાદાર રહ્યા છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.