"મફતમાં નહીં, 500 રૂપિયા, દારૂ-ચવાણું લઈને મતો આપ્યા" ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-20 14:12:30

રાજ્યમાં ચૂંટણી વખતે ઉમેદવારો તેમના મત વિસ્તારના મતદારોને રોકડ રૂપિયાની સાથે ચા-નાસ્તો અને દારૂની આપીને તેમની તરફેણમાં મતદાન કરવા માટે આકર્ષતા હોય છે. આ બાબતે ઘણીવાર ઉમેદવારો અને મતદારો વચ્ચે તકરાર પણ થતી હોય છે. હાલમાં ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં કોર્પોરેટર મતદારને ધમકાવતા કહે છે તમે મફતમાં મત આપ્યો નથી રૂપિયા લીધા છે.


કોર્પોરેટર ભરત ગોહિલની ઓડિયો ક્લિપ વાયરલ


ગાંધીનગરના ભાજપના કોર્પોરેટર ભરત ગોહિલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે.


કોર્પોરેટર ઓડિયોમાં શું બોલ્યા?


વણજારા સમાજના આગેવાન બાબુલાલે કોઈ કામ માટે ગાંધીનગરના ભાજપના કોર્પોરેટર ભરત ગોહિલને કરેલા ફોનનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તારા સમાજે 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઇને મત આપ્યાનો કોર્પોરેટરનો જવાબ  સાંભળવા મળે છે. ઓડિયો ક્લિપમાંના સંવાદ પર નજર કરીએ તો “બોલો બાબુલાલ.....તમે કોર્પોરેટર બન્યા પણ કામના નહીં....તમને શા માટે ચૂંટી લાવ્યા....કોણ અમારા વણજારા સમાજે નથી ચૂંટ્યા તમને......કોણે ચૂ્ટ્યાં... વણજારા સમાજને 500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા છે”


કોર્પોરેટર ક્લિપને ફેક ગણાવી


કોર્પોરેટર ભરત ગોહિલે જોકે આ વાયરલ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, મારે બાબુલાલ સાથે કોઇ ટેલિફોનિક વાતચીત જ નથી થઇ. અમારી બંને વચ્ચે જે પણ વાતચીત થઇ તે માત્ર રૂબરૂમાં જ થઇ છે,. કોર્પોરેટ ભરત ગોહેલે કહ્યું કે આ માત્ર રાજકિય કિન્નાખોરી રાખીને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભરત ગોહિલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ઓડિયોમાં મારો અવાજ પણ નથી. જો કે આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતી નથી પરંતુ હાલ આ વાયરલ વીડિયો  અનેક સવાલ ચોક્કસ ઉભા કરે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.