Gujarat :આટલી લોકસભા બેઠકો માટે BJPએ ઉમેદવાર કર્યા જાહેર, આટલા નવા ચહેરાઓને અપાઈ તક, આ 4 બેઠકો માટે ભાજપમાં ચાલતું મનોમંથન?


  • Published By :
  • Published Date : 2024-03-14 09:44:57

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. ગુજરાતની 11 બેઠકોમાંથી બીજી યાદીમાં ભાજપે 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 7 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. બીજી યાદીમાં અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે. ઉમેદવારોના નામની વાત કરીએ તો સાબરકાંઠાથી ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી છે. 


આ બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

તે ઉપરાંત અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને તો વડોદરા માટે હાલના સાંસદ રંજનભટ્ટને રિપીટ કરાયા છે. છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી છે જ્યારે સુરતમાં મુકેશ દલાલને ટિકીટ આપવામાં આવી છે. વલસાડમાં ધવલ પટેલને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. માત્ર 4 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની ઘોષણા નથી કરી અને તે છે મહેસાણા, જૂનાગઢ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. 



કોના કોના કપાયા પત્તા? 

મહત્વનું છે આ વખતે અનેક સાંસદોના પત્તા કપાયા છે. બીજી યાદીની વાત કરીએ તો સુરતથી દર્શનાબેન જરદોશની ટિકીટ કપાઈ તો ભાવનગરમાં ભારતીબેન શિયાળની, છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઈ તો સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની ટિકીટ કપાઈ છે જ્યારે વલસાડથી કે.સી.પટેલનું પત્તુ કપાયું છે. પ્રથમ યાદીમાં કપાયેલા સાંસદોના નામની વાત કરીએ તો પોરબંદરથી રમેશ ધડુકની ટિકીટ કપાઈ છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કપાઈ છે તો પંચમહાલ બેઠક માટે રતનસિંહ રાઠોડને રિપીટ નથી કરવામાં આવ્યા. રાજકોટમાં મોહન કુંડાયિરાને ટિકીટ નથી આપવામાં આવી. અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીને નથી કરવામાં આવ્યા રિપીટ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.