Gujarat :આટલી લોકસભા બેઠકો માટે BJPએ ઉમેદવાર કર્યા જાહેર, આટલા નવા ચહેરાઓને અપાઈ તક, આ 4 બેઠકો માટે ભાજપમાં ચાલતું મનોમંથન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 09:44:57

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. ગુજરાતની 11 બેઠકોમાંથી બીજી યાદીમાં ભાજપે 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 7 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. બીજી યાદીમાં અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે. ઉમેદવારોના નામની વાત કરીએ તો સાબરકાંઠાથી ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી છે. 


આ બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

તે ઉપરાંત અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને તો વડોદરા માટે હાલના સાંસદ રંજનભટ્ટને રિપીટ કરાયા છે. છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી છે જ્યારે સુરતમાં મુકેશ દલાલને ટિકીટ આપવામાં આવી છે. વલસાડમાં ધવલ પટેલને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. માત્ર 4 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની ઘોષણા નથી કરી અને તે છે મહેસાણા, જૂનાગઢ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. 



કોના કોના કપાયા પત્તા? 

મહત્વનું છે આ વખતે અનેક સાંસદોના પત્તા કપાયા છે. બીજી યાદીની વાત કરીએ તો સુરતથી દર્શનાબેન જરદોશની ટિકીટ કપાઈ તો ભાવનગરમાં ભારતીબેન શિયાળની, છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઈ તો સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની ટિકીટ કપાઈ છે જ્યારે વલસાડથી કે.સી.પટેલનું પત્તુ કપાયું છે. પ્રથમ યાદીમાં કપાયેલા સાંસદોના નામની વાત કરીએ તો પોરબંદરથી રમેશ ધડુકની ટિકીટ કપાઈ છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કપાઈ છે તો પંચમહાલ બેઠક માટે રતનસિંહ રાઠોડને રિપીટ નથી કરવામાં આવ્યા. રાજકોટમાં મોહન કુંડાયિરાને ટિકીટ નથી આપવામાં આવી. અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીને નથી કરવામાં આવ્યા રિપીટ.  



રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.