Gujarat :આટલી લોકસભા બેઠકો માટે BJPએ ઉમેદવાર કર્યા જાહેર, આટલા નવા ચહેરાઓને અપાઈ તક, આ 4 બેઠકો માટે ભાજપમાં ચાલતું મનોમંથન?


  • Published By :
  • Published Date : 2024-03-14 09:44:57

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. ગુજરાતની 11 બેઠકોમાંથી બીજી યાદીમાં ભાજપે 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 7 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. બીજી યાદીમાં અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે. ઉમેદવારોના નામની વાત કરીએ તો સાબરકાંઠાથી ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી છે. 


આ બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

તે ઉપરાંત અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને તો વડોદરા માટે હાલના સાંસદ રંજનભટ્ટને રિપીટ કરાયા છે. છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી છે જ્યારે સુરતમાં મુકેશ દલાલને ટિકીટ આપવામાં આવી છે. વલસાડમાં ધવલ પટેલને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. માત્ર 4 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની ઘોષણા નથી કરી અને તે છે મહેસાણા, જૂનાગઢ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. 



કોના કોના કપાયા પત્તા? 

મહત્વનું છે આ વખતે અનેક સાંસદોના પત્તા કપાયા છે. બીજી યાદીની વાત કરીએ તો સુરતથી દર્શનાબેન જરદોશની ટિકીટ કપાઈ તો ભાવનગરમાં ભારતીબેન શિયાળની, છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઈ તો સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની ટિકીટ કપાઈ છે જ્યારે વલસાડથી કે.સી.પટેલનું પત્તુ કપાયું છે. પ્રથમ યાદીમાં કપાયેલા સાંસદોના નામની વાત કરીએ તો પોરબંદરથી રમેશ ધડુકની ટિકીટ કપાઈ છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કપાઈ છે તો પંચમહાલ બેઠક માટે રતનસિંહ રાઠોડને રિપીટ નથી કરવામાં આવ્યા. રાજકોટમાં મોહન કુંડાયિરાને ટિકીટ નથી આપવામાં આવી. અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીને નથી કરવામાં આવ્યા રિપીટ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.