ભાજપે અમદાવાદ ગ્રામ્યના ઉમેદવારો પર કરી ચર્ચા, આ નેતાના પત્તા કપાશે


  • Published By :
  • Published Date : 2022-11-04 18:55:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે ત્રણેય પક્ષો પોતાની રીતે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર ચર્ચા કરી હતી. અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રો પર કોને મોકો આપવામાં આવશે તે મામલે ચર્ચા કરી હતી. ચર્ચાની અંતે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તે નિર્ણય લેવાયો હતો.

વિરોધ સામે હાર્દિકને વીરમગામની ટિકિટ અપાઈ શકે

Big Relief To 30 People Including Hardik Patel In Breach Of Declaration  Case | હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને  મળી મોટી રાહતઆજે અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ બેઠક માટે ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામ માટે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને લડાવે તેવા સમાચારો આવી રહ્યા હતા. આજે પણ ચર્ચામાં હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા ક્ષેત્રની ટિકિટ આપી શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામના લોકોની સમગ્ર મામલે ઉલટ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીરમગામના લોકો અને વીરમગામના ભાજપના કાર્યકર્તાઓ હાર્દિક પટેલને ટિકિટ અપાય તેની વિરોધમાં દેખાઈ રહ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલની ટિકિટ કપાવાની સંભાવના

ચૂંટણી જીતવા મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલી વધી: જાણો શું કહ્યું  હાઇકોર્ટેવર્ષ 2012 અને વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર ચૂડાસમા ધોળકા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં તો ભૂપેન્દ્ર ચૂડાસમાની જીત મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો. સમગ્ર બાબત વચ્ચે આ ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ભૂપેન્દ્ર ચૂડાસમાની ટિકિટ કપાઈ શકે છે. વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ 327 મતોની લીડથી ધારાસભ્ય બન્યા હતા. 


બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના 

Babubhai Jamnadas Patel, BJP MLA from Daskroi – Our Neta

ભાજપની અમદાવાદ ગ્રામ્યની ચર્ચામાં દસ્ક્રોઈ વિધાનસભા ક્ષેત્ર મામલે વરિષ્ઠ ધારાસભ્ય બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. અમદાવાદ ગ્રામ્યની 3.11 લાખ મતદારો ધરાવતી દસક્રોઈ બેઠક પર વર્ષ 2017માં બાબુ જમના પટેલે પંકજ પટેલ સામે જીત મેળવી હતી. વર્ષ 2007થી બાબુ જમના પટેલ દસક્રોઈ બેઠક પરથી જીતતા આવે છે પણ આ વખતે બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. 

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરાશે

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ થાય તેવી વાત સામે આવી રહી છે. સાણંદ વિધાનસભા 2 લાખ 43 હજારથી વધુ મતદારો ધરાવતું ક્ષેત્ર છે. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામો આવે છે. વર્ષ 2017માં સાણંદથી કનુ પટેલ ધારાસભ્ય બન્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીવાર કનુ પટેલને મોકો આપે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલાને આ વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાં હાલ કોને ટિકિટ આપવામાં આવશે તે જાહેરાત નથી થઈ. 






સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"