ભાજપે અમદાવાદ ગ્રામ્યના ઉમેદવારો પર કરી ચર્ચા, આ નેતાના પત્તા કપાશે


  • Published By :
  • Published Date : 2022-11-04 18:55:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે ત્રણેય પક્ષો પોતાની રીતે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર ચર્ચા કરી હતી. અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રો પર કોને મોકો આપવામાં આવશે તે મામલે ચર્ચા કરી હતી. ચર્ચાની અંતે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તે નિર્ણય લેવાયો હતો.

વિરોધ સામે હાર્દિકને વીરમગામની ટિકિટ અપાઈ શકે

Big Relief To 30 People Including Hardik Patel In Breach Of Declaration  Case | હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને  મળી મોટી રાહતઆજે અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ બેઠક માટે ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામ માટે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને લડાવે તેવા સમાચારો આવી રહ્યા હતા. આજે પણ ચર્ચામાં હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા ક્ષેત્રની ટિકિટ આપી શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામના લોકોની સમગ્ર મામલે ઉલટ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીરમગામના લોકો અને વીરમગામના ભાજપના કાર્યકર્તાઓ હાર્દિક પટેલને ટિકિટ અપાય તેની વિરોધમાં દેખાઈ રહ્યા છે. 

ભૂપેન્દ્ર પટેલની ટિકિટ કપાવાની સંભાવના

ચૂંટણી જીતવા મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલી વધી: જાણો શું કહ્યું  હાઇકોર્ટેવર્ષ 2012 અને વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર ચૂડાસમા ધોળકા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં તો ભૂપેન્દ્ર ચૂડાસમાની જીત મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો. સમગ્ર બાબત વચ્ચે આ ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ભૂપેન્દ્ર ચૂડાસમાની ટિકિટ કપાઈ શકે છે. વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ 327 મતોની લીડથી ધારાસભ્ય બન્યા હતા. 


બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના 

Babubhai Jamnadas Patel, BJP MLA from Daskroi – Our Neta

ભાજપની અમદાવાદ ગ્રામ્યની ચર્ચામાં દસ્ક્રોઈ વિધાનસભા ક્ષેત્ર મામલે વરિષ્ઠ ધારાસભ્ય બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. અમદાવાદ ગ્રામ્યની 3.11 લાખ મતદારો ધરાવતી દસક્રોઈ બેઠક પર વર્ષ 2017માં બાબુ જમના પટેલે પંકજ પટેલ સામે જીત મેળવી હતી. વર્ષ 2007થી બાબુ જમના પટેલ દસક્રોઈ બેઠક પરથી જીતતા આવે છે પણ આ વખતે બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. 

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરાશે

સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ થાય તેવી વાત સામે આવી રહી છે. સાણંદ વિધાનસભા 2 લાખ 43 હજારથી વધુ મતદારો ધરાવતું ક્ષેત્ર છે. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામો આવે છે. વર્ષ 2017માં સાણંદથી કનુ પટેલ ધારાસભ્ય બન્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીવાર કનુ પટેલને મોકો આપે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલાને આ વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાં હાલ કોને ટિકિટ આપવામાં આવશે તે જાહેરાત નથી થઈ. 






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.