છત્તીસગઢમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો: 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 1 લાખ સરકારી નોકરી, પરિણીતાઓને રૂ.12,000ની સહાય


  • Published By :
  • Published Date : 2023-11-03 20:28:27

છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 'મોદી કી ગેરંટી' નામ હેઠળ જાહેર કરવામાં આવેલા આ ઢંઢેરામાં ભાજપે સમાજના દરેક વર્ગને નવી નોકરીઓથી લઈને ગરીબોને ઘર આપવા સુધીના વચનો આપ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.


અમિત શાહે શું કહ્યું?


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો જાહેર કર્યો છે. મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં અમે છત્તીસગઢને સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. 15 વર્ષની અમારી સરકારે રાજ્યના વિકાસ માટે ઘણા કામ કર્યા હતા. ઘણી યોજનાઓ છત્તીસગઢમાં શરૂ થઈ હતી. પંચાયત ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાની શરૂઆત છત્તીસગઢથી થઈ છે. તેમજ અમારી સરકારે પાવર સર પ્લસ સ્ટેટ બનાવ્યું છે.અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં એક લાખ પોસ્ટ પર નવી સરકારી નોકરીઓનું સર્જન કરવામાં આવશે.


ભાજપના મેનિફેસ્ટોની આ છે મોટી જાહેરાતો


પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગરની ખરીદી

મહિલાઓને દર વર્ષે 12000ની સહાય

1 લાખ પોસ્ટ પર સરકારી નોકરી

3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી

આવાસ માટે 18 લાખની રકમ

સ્ટાન્ડર્ડ બેગ દીઠ રૂ.5500ના દરે તેંદુપત્તાના પાનની ખરીદી.

4500 રૂપિયા સુધીનું બોનસ

ભૂમિહીન ખેતમજૂરોને દર વર્ષે 10,000 રૂપિયા

આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર

500 નવા જન ઔષધિ કેન્દ્રો ખુલશે

CGPSC પરીક્ષા યુપીએસસીની તર્જ પર હશે

પરીક્ષા કૌભાંડોની CGPSC તપાસ

ઉદ્યોગ ક્રાંતિ યોજના હેઠળ 50 ટકા સબસિડી પર યુવાનોને વ્યાજ વગર લોન

સ્ટેટ કેપિટલ રિજન: 6 લાખ રોજગારીની તકો

રાણી દુર્ગાવતી યોજના: BPLછોકરીઓના જન્મ પર રૂ. 1.50 લાખ

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

કોલેજના વિદ્યાર્થીઓ માટે માસિક મુસાફરી ભથ્થું

ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સ નીતિ, ભ્રષ્ટાચાર આયોગની રચના

AIIMSની તર્જ પર દરેક વિભાગમાં CIMS ખુલશે

IITની તર્જ પર દરેક જિલ્લામાં CIT ખુલશે

પંચાયત કક્ષાએ 1.5 લાખ યુવાનોની ભરતી

શક્તિપીઠ યોજના: ચાર ધામ યાત્રાની તર્જ પર 5 શક્તિપીઠોની મુલાકાત

શ્રી રામ લલ્લાના દર્શન



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.