છત્તીસગઢમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો: 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 1 લાખ સરકારી નોકરી, પરિણીતાઓને રૂ.12,000ની સહાય


  • Published By :
  • Published Date : 2023-11-03 20:28:27

છત્તીસગઢમાં ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 'મોદી કી ગેરંટી' નામ હેઠળ જાહેર કરવામાં આવેલા આ ઢંઢેરામાં ભાજપે સમાજના દરેક વર્ગને નવી નોકરીઓથી લઈને ગરીબોને ઘર આપવા સુધીના વચનો આપ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો આગામી પાંચ વર્ષ છત્તીસગઢ માટે વિકાસના વર્ષ હશે. આ સમયગાળા દરમિયાન, સરકાર પ્રથમ બે વર્ષમાં 1 લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરશે, જ્યારે 18 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. આ ઉપરાંત, પાર્ટીએ મહિલાઓને આકર્ષવાનો પણ પ્રયાસ કર્યો છે, જેમની સંખ્યા છત્તીસગઢની મતદાર યાદીમાં ઘણી વધારે છે. ભાજપે વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો તે દરેક પરિણીત મહિલાને 12,000 રૂપિયાની આર્થિક મદદ કરશે. આ ઉપરાંત ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 3,100 કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.


અમિત શાહે શું કહ્યું?


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટેનો ઢંઢેરો જાહેર કર્યો છે. મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં અમે છત્તીસગઢને સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. 15 વર્ષની અમારી સરકારે રાજ્યના વિકાસ માટે ઘણા કામ કર્યા હતા. ઘણી યોજનાઓ છત્તીસગઢમાં શરૂ થઈ હતી. પંચાયત ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાની શરૂઆત છત્તીસગઢથી થઈ છે. તેમજ અમારી સરકારે પાવર સર પ્લસ સ્ટેટ બનાવ્યું છે.અમિત શાહે કહ્યું કે બે વર્ષમાં એક લાખ પોસ્ટ પર નવી સરકારી નોકરીઓનું સર્જન કરવામાં આવશે.


ભાજપના મેનિફેસ્ટોની આ છે મોટી જાહેરાતો


પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગરની ખરીદી

મહિલાઓને દર વર્ષે 12000ની સહાય

1 લાખ પોસ્ટ પર સરકારી નોકરી

3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી

આવાસ માટે 18 લાખની રકમ

સ્ટાન્ડર્ડ બેગ દીઠ રૂ.5500ના દરે તેંદુપત્તાના પાનની ખરીદી.

4500 રૂપિયા સુધીનું બોનસ

ભૂમિહીન ખેતમજૂરોને દર વર્ષે 10,000 રૂપિયા

આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર

500 નવા જન ઔષધિ કેન્દ્રો ખુલશે

CGPSC પરીક્ષા યુપીએસસીની તર્જ પર હશે

પરીક્ષા કૌભાંડોની CGPSC તપાસ

ઉદ્યોગ ક્રાંતિ યોજના હેઠળ 50 ટકા સબસિડી પર યુવાનોને વ્યાજ વગર લોન

સ્ટેટ કેપિટલ રિજન: 6 લાખ રોજગારીની તકો

રાણી દુર્ગાવતી યોજના: BPLછોકરીઓના જન્મ પર રૂ. 1.50 લાખ

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

કોલેજના વિદ્યાર્થીઓ માટે માસિક મુસાફરી ભથ્થું

ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સ નીતિ, ભ્રષ્ટાચાર આયોગની રચના

AIIMSની તર્જ પર દરેક વિભાગમાં CIMS ખુલશે

IITની તર્જ પર દરેક જિલ્લામાં CIT ખુલશે

પંચાયત કક્ષાએ 1.5 લાખ યુવાનોની ભરતી

શક્તિપીઠ યોજના: ચાર ધામ યાત્રાની તર્જ પર 5 શક્તિપીઠોની મુલાકાત

શ્રી રામ લલ્લાના દર્શન



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.