BJP: Gujarat રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, કહ્યું ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:02:24

ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજય મુહુર્તમાં ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.  ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. પરશોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાના પત્તા રાજ્યસભા માટે કપાયા છે. ભાજપની આવી જાહેરાત બાદ એવું લાગી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને તેમજ મનસુખ માંડવિયાને લોકસભા ચૂંટણી માટે ઉતારવામાં આવે. 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે.       

સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીએ કર્યું જે.પી.નડ્ડાનું સ્વાગત 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવા આજે તે ગુજરાત આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. તે ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. રેલી સ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવવા ગયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ એકમાત્ર શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ પણ વર્ષ 2026માં પૂર્ણ થવાનો છે.


જે.પી.નડ્ડાએ માન્યો પીએમ મોદીનો આભાર

 જે.પી.નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવું તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. મહત્વનું છે કે એવું માનવામાં આવતું હતું કે રાજ્યસભા માટે એવા નામોની જાહેરાત કરવામાં આવશે જેની કલ્પના પણ નહીં કરી હોય.    


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.