BJP: Gujarat રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, કહ્યું ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:02:24

ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજય મુહુર્તમાં ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.  ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. પરશોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાના પત્તા રાજ્યસભા માટે કપાયા છે. ભાજપની આવી જાહેરાત બાદ એવું લાગી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને તેમજ મનસુખ માંડવિયાને લોકસભા ચૂંટણી માટે ઉતારવામાં આવે. 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે.       

સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીએ કર્યું જે.પી.નડ્ડાનું સ્વાગત 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવા આજે તે ગુજરાત આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. તે ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. રેલી સ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવવા ગયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ એકમાત્ર શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ પણ વર્ષ 2026માં પૂર્ણ થવાનો છે.


જે.પી.નડ્ડાએ માન્યો પીએમ મોદીનો આભાર

 જે.પી.નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવું તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. મહત્વનું છે કે એવું માનવામાં આવતું હતું કે રાજ્યસભા માટે એવા નામોની જાહેરાત કરવામાં આવશે જેની કલ્પના પણ નહીં કરી હોય.    


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે