રાજ્યની ભાજપ સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ, CM, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 લોકો ભાગ લેશે


  • Published By :
  • Published Date : 2023-05-19 12:57:41

આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય સરકારે કમર કસી લીધી છે. આજથી સરકારની ત્રણ દિવસની દિવસીય ચિંતન શિબિરનો આરંભ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના સાંનિધ્યમાં થયો છે. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગાંધીનગરથી મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે બસમાં રવાના થયા છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 સભ્યો ચિંતન શિબિરમાં ભાગ લેશે.


આજે હસમુખ અઢિયાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય 


કેવડિયા કોલોની ખાતે આજથી શરૂ થયેલી શિબિરનો પ્રારંભ સાંજે 4 વાગ્યાથી થશે. શિબિરની શરૂઆત મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી થશે. આ સાથે જ નાણાંમંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન. જ્યારે સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ થી આવેલા પરિવર્તન અને પડકાર પર ચર્ચા થશે. રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


20 મેના રોજ વહીવટી સુધારા પર ચિંતન


20 મે એ સવારે 6 વાગે યોગથી બીજા દિવસની શરૂઆત થશે. મંત્રીઓ તથા અધિકારિઓ બોટીંગ રિવરફ્ટિંગ, જંગલ સફારી તથા સાયક્લીગ કરશે. ત્યારે 10 વાગે વિકાસના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા સંબોધન કરશે. આ ઉપરાંત સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ તથા શિક્ષણમાં ગુણાત્મક સુધારો પર ચર્ચા થશે. સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે. સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. રાત્રે 8:15 કલાકે નર્મદા આરતી માં ભાગ લેશે


21 મેના દિવસે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન


21 મે એ સવારે 6 વાગે યોગથી ચિંતન શિબિરના ત્રીજા દિવસની શરૂઆત થશે. ત્યારે બાદ 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓ ની ચર્ચા બાદની ભલામણ પર પ્રેઝન્ટેશન થશે. બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકાર્પણ થશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન અને 2 વાગે શિબિર પૂર્ણ થશે.


નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી ચિંતન શિબિરની પરંપરા


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપમાં  ચિંતન શિબિરનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 7 ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે આનંદીબેન પટેલના કાર્યકાળમાં અને વિજય રૂપાણી ના કાર્યકાળમાં 1-1 ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ પહેલી ચિંતન શિબિર છે. જે 5 વર્ષ બાદ યોજાઈ રહી છે. સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન થતું હોય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.