રાજ્યની ભાજપ સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ, CM, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 લોકો ભાગ લેશે


  • Published By :
  • Published Date : 2023-05-19 12:57:41

આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય સરકારે કમર કસી લીધી છે. આજથી સરકારની ત્રણ દિવસની દિવસીય ચિંતન શિબિરનો આરંભ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના સાંનિધ્યમાં થયો છે. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગાંધીનગરથી મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે બસમાં રવાના થયા છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 સભ્યો ચિંતન શિબિરમાં ભાગ લેશે.


આજે હસમુખ અઢિયાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય 


કેવડિયા કોલોની ખાતે આજથી શરૂ થયેલી શિબિરનો પ્રારંભ સાંજે 4 વાગ્યાથી થશે. શિબિરની શરૂઆત મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી થશે. આ સાથે જ નાણાંમંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન. જ્યારે સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ થી આવેલા પરિવર્તન અને પડકાર પર ચર્ચા થશે. રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


20 મેના રોજ વહીવટી સુધારા પર ચિંતન


20 મે એ સવારે 6 વાગે યોગથી બીજા દિવસની શરૂઆત થશે. મંત્રીઓ તથા અધિકારિઓ બોટીંગ રિવરફ્ટિંગ, જંગલ સફારી તથા સાયક્લીગ કરશે. ત્યારે 10 વાગે વિકાસના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા સંબોધન કરશે. આ ઉપરાંત સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ તથા શિક્ષણમાં ગુણાત્મક સુધારો પર ચર્ચા થશે. સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે. સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. રાત્રે 8:15 કલાકે નર્મદા આરતી માં ભાગ લેશે


21 મેના દિવસે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન


21 મે એ સવારે 6 વાગે યોગથી ચિંતન શિબિરના ત્રીજા દિવસની શરૂઆત થશે. ત્યારે બાદ 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓ ની ચર્ચા બાદની ભલામણ પર પ્રેઝન્ટેશન થશે. બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકાર્પણ થશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન અને 2 વાગે શિબિર પૂર્ણ થશે.


નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી ચિંતન શિબિરની પરંપરા


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપમાં  ચિંતન શિબિરનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 7 ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે આનંદીબેન પટેલના કાર્યકાળમાં અને વિજય રૂપાણી ના કાર્યકાળમાં 1-1 ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ પહેલી ચિંતન શિબિર છે. જે 5 વર્ષ બાદ યોજાઈ રહી છે. સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન થતું હોય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.