રાજ્યમાં ભાજપની સરકાર તો બની પણ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ કોણ બનશે, શું છે બંધારણીય જોગવાઈ?


  • Published By :
  • Published Date : 2022-12-12 18:17:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે 16 મંત્રીઓએ શપથ લીધા છે. જો કે હવે ખરો સવાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે? કોંગ્રેસ કે આપમાંથી કઈ પાર્ટી બનશે મુખ્ય વિપક્ષ?


મુખ્ય વિપક્ષ બનવા માટે શું છે જોગવાઈ?


રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. અગાઉ વિધાન સભાના અધ્યક્ષોએ કુલ બેઠકના 10% ધારાસભ્યો હોવાનું ઠરાવ્યું છે અને તેથી કોંગ્રેસને 18 કે 19 ધારાસભ્યો હોય તો વિપક્ષનું નેતાપદ મળે પરંતુ તેમાં શાસક પક્ષની ઉદારતા કેટલી છે તે પણ એક સવાલ છે. હવે કોંગ્રેસને મુખ્ય વિપક્ષ બનવા માટે ભાજપ પર નિર્ભર રહેવું પડશે. રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધીમાં પરંપરા મુજબ વિધાનસભામાં નાયબ અધ્યક્ષપદ પણ વિપક્ષને આપવું જોઇએ પરંતુ છેલ્લી કેટલીક ટર્મથી તે પણ અપાયું નથી અને તેના બદલે અધ્યક્ષની પેનલ રચાય છે અને તેમને અધ્યક્ષની ગેરહાજરીમાં કોઇ એક વ્યક્તિને અધ્યક્ષપદે બેસાડાય છે.


મુખ્ય વિપક્ષના નેતાઓને મળતા લાભ


વિપક્ષનું નેતાપદ જેને મળે તે કેબીનેટ મંત્રી સમકક્ષ હોદો ધરાવે છે તેને કેબીનેટ મંત્રીની જે સુવિધા મળે તે તમામ મળે છે. વિધાનસભામાં અનેક મહત્વની સમિતિઓમાં પણ વિપક્ષને મહત્વના સ્થાન મળે છે. જેમ કે જાહેર હિસાબની સમિતિ કે જે સૌથી મહત્વની ગણાય છે તેમાં પણ વિપક્ષના નેતા અધ્યક્ષપદે હોય છે. ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે, સત્તાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.


ભૂતકાળનો અનુભવ શું કહે છે?


વર્ષ 1985માં પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી. 14 ધારાસભ્યો ધરાવતા જનતા દળને મુખ્ય વિપક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યો અને સ્વ. ચીમન પટેલને વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું. જો કે મુખ્ય વિપક્ષ માટે વિધાનસભામાં કોઇ નિયમ કે કાયદો નથી. આ વખતે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પોરબંદર ચૂંટાયેલા અર્જુનભાઇ મોઢવાડીયા અને આંકલાવથી ચૂંટાયેલા અમિત ચાવડાનું નામ વિપક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમને વિરોધ પક્ષના નેતા બનાવવા કે કેમ તેનો નિર્ણય શાસક ભાજપ પર નિર્ભર રહે છે. એટલે આખરી નિર્ણય તો ભાજપના નેતાઓ જ લેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.