રાજ્યમાં ભાજપની સરકાર તો બની પણ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ કોણ બનશે, શું છે બંધારણીય જોગવાઈ?


  • Published By :
  • Published Date : 2022-12-12 18:17:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે 16 મંત્રીઓએ શપથ લીધા છે. જો કે હવે ખરો સવાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે? કોંગ્રેસ કે આપમાંથી કઈ પાર્ટી બનશે મુખ્ય વિપક્ષ?


મુખ્ય વિપક્ષ બનવા માટે શું છે જોગવાઈ?


રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. અગાઉ વિધાન સભાના અધ્યક્ષોએ કુલ બેઠકના 10% ધારાસભ્યો હોવાનું ઠરાવ્યું છે અને તેથી કોંગ્રેસને 18 કે 19 ધારાસભ્યો હોય તો વિપક્ષનું નેતાપદ મળે પરંતુ તેમાં શાસક પક્ષની ઉદારતા કેટલી છે તે પણ એક સવાલ છે. હવે કોંગ્રેસને મુખ્ય વિપક્ષ બનવા માટે ભાજપ પર નિર્ભર રહેવું પડશે. રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધીમાં પરંપરા મુજબ વિધાનસભામાં નાયબ અધ્યક્ષપદ પણ વિપક્ષને આપવું જોઇએ પરંતુ છેલ્લી કેટલીક ટર્મથી તે પણ અપાયું નથી અને તેના બદલે અધ્યક્ષની પેનલ રચાય છે અને તેમને અધ્યક્ષની ગેરહાજરીમાં કોઇ એક વ્યક્તિને અધ્યક્ષપદે બેસાડાય છે.


મુખ્ય વિપક્ષના નેતાઓને મળતા લાભ


વિપક્ષનું નેતાપદ જેને મળે તે કેબીનેટ મંત્રી સમકક્ષ હોદો ધરાવે છે તેને કેબીનેટ મંત્રીની જે સુવિધા મળે તે તમામ મળે છે. વિધાનસભામાં અનેક મહત્વની સમિતિઓમાં પણ વિપક્ષને મહત્વના સ્થાન મળે છે. જેમ કે જાહેર હિસાબની સમિતિ કે જે સૌથી મહત્વની ગણાય છે તેમાં પણ વિપક્ષના નેતા અધ્યક્ષપદે હોય છે. ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે, સત્તાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.


ભૂતકાળનો અનુભવ શું કહે છે?


વર્ષ 1985માં પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી. 14 ધારાસભ્યો ધરાવતા જનતા દળને મુખ્ય વિપક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યો અને સ્વ. ચીમન પટેલને વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું. જો કે મુખ્ય વિપક્ષ માટે વિધાનસભામાં કોઇ નિયમ કે કાયદો નથી. આ વખતે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પોરબંદર ચૂંટાયેલા અર્જુનભાઇ મોઢવાડીયા અને આંકલાવથી ચૂંટાયેલા અમિત ચાવડાનું નામ વિપક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમને વિરોધ પક્ષના નેતા બનાવવા કે કેમ તેનો નિર્ણય શાસક ભાજપ પર નિર્ભર રહે છે. એટલે આખરી નિર્ણય તો ભાજપના નેતાઓ જ લેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.